SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૦) (શ્રાવકધર્મપ્રકાશ [૧૪] ગૃહસ્થપણું દાનથી જ શોભે છે ઘર્મની પ્રભાવના વગેરે માટે દાન કરવાનો પ્રસંગ આવે ત્યાં ધર્મના પ્રેમી જીવનું હૃદય થનગણાટ કરતું ઉદારતાથી ઊછળી જાય કે-અહો, આવા ઉત્તમ કાર્ય માટે જેટલું ધન વપરાય તેટલું સફળ છે. જે ઘન પોતાના હિત માટે કામ ન આવે ને પાપબંધનું જ કારણ થાય-એ ધન શા કામનું? - એવા ઘનથી ધનવાનપણું કોણ કહે? સાચો ધનવાન તો એ છે કે જે ઉદારતાપૂર્વક ધર્મકાર્યમાં પોતાની લક્ષ્મી વાપરે છે. શ્રાવકના હંમેશનાં જે કર્તવ્ય છે તેમાંથી દાનનું આ વર્ણન ચાલે છે दानेनैव गृहस्थता गुणवती लोकस्योद्योतिका नैव स्यान्ननु तद्विना धनवतो लोकद्वयध्वंसकृत्। दुर्व्यापारशतेषु सत्सु गृहिणः पापं यदुत्पद्यते तन्नाशाय शशांकशुभ्रयशसे दानं न चान्यत्परम्।। १४।। ધનવાન મનુષ્યોનું ગૃહસ્થપણું દાનવડે જ ગુણકારી છે, તથા દાન વડે જ આ લોક તથા પરલોક બંનેનો ઉધોત થાય છે; દાન વગરનું ગૃહસ્થપણું તો બંને લોકનો ધ્વંસ કરનારું છે. ગૃહસ્થને સેંકડો પ્રકારના દુર્ભાપારથી જે પાપ થાય છે તેનો નાશ દાનવડ જ થાય છે, ને દાનવડે ચંદ્રસમાન ઉજ્જવળ યશ પ્રાપ્ત થાય છે. આ રીતે પાપનો નાશ ને યશની પ્રાપ્તિ માટે ગૃહસ્થને સત્પાત્રદાન સમાન બીજું કાંઈ નથી. માટે પોતાનું હિત ચાહનારા ગૃહસ્થોએ દાન વડે ગૃહસ્થપણું સફળ કરવું જોઈએ. Please inform us of any errors on [email protected]
SR No.008312
Book TitleShravaka Dharma Prakash
Original Sutra AuthorPadmanandi
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1966
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Principle
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy