________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભ્રાંતિખંડન દષ્ટાંત ]
[ ૪૩ પરંતુ બાકીના રહ્યા તે (સર્વ) ઉત્સર્પિણી-અવસર્પિણીના મુખમાં સમાઈ જાય છે.
જેમ વંધ્યાસ્ત્રીને પુત્ર ઉત્પત્તિનું આદિ અંતપૂર્વાપરનું બધું વર્ણન શ્રવણ કરાવો તો પણ તે વંધ્યાસ્ત્રીને પુત્રોત્પત્તિનો કોઈ પ્રકા૨થી પણ સાક્ષાત્ અનુભવ થતો નથી. તે જ પ્રમાણે વજ્રમિથ્યાદષ્ટિને સ્વસમ્યગ્ગાનોમત્તિનું પૂર્વાપર સર્વ વિવરણ શ્રવણ કરાવો તો પણ તેને સ્વસમ્યગ્રાનોસત્તિનો સાક્ષાત્ અનુભવ થતો નથી.
જેમ કોઈનું નાક ખંડિત છે તેને કોઈ દર્પણ બતાવે તો તે નાક ખંડિત માણસ પોતાના દિલમાં આવો વિચાર કરે કે મારું નાક કપાયું છે તેથી આ મને દર્પણ બતાવે છે. તે જ પ્રમાણે મિથ્યાદષ્ટિને સ્વસમ્યગ્નાન દર્પણ બતાવવું વૃથા છે.
જેમ કોઈ વંધ્યા સ્ત્રીને પુરુષનો સંયોગ થવા છતાં પણ પુત્રફળ-લાભાનુભવ થતો નથી તે જ પ્રમાણે મિથ્યાદષ્ટિને દેવ-ગુરુશાસ્ત્ર અને સત્પુરુષોનો સત્સંગ થવા છતાં પણ સ્વસમ્યજ્ઞાન ફળનો લાભાનુભવ થતો નથી.
જેમ હંસ, દૂધ-પાણીને મળેલાં છતાં પણ ભિન્ન ભિન્ન સમજે છે તેમ સ્વસમ્યગ્નાની આ લોકાલોકને પોતાના પોતામાં પોતામય સ્વસમ્યજ્ઞાનને ભિન્ન ભિન્ન સમજે છે.
જેમ સ્વપ્નઅવસ્થામાં ઘર-કુટુંબ, બેટા-બેટી, સ્ત્રી, માતાપિતા, ધન-ધાન્યાદિક દેખાય છે તેને જાગ્રત સમયમાં જોઈએ તો તે નથી દેખાતાં અર્થાત્ સ્વપ્નાવસ્થાનાં માત પિતા, સ્ત્રી-પુત્રાદિક સર્વ મરી જાય છે તેનું દુ:ખ, હર્ષ, શોક, જાગ્રત અવસ્થામાં નથી થતાં, તે જ પ્રમાણે જગ્રત અવસ્થા વખતનાં માતપિતા, સ્ત્રી-પુત્રાદિક છે તે સ્વપ્નામાં નથી દેખાતાં અર્થાત્ જાગ્રત અવસ્થા વખતનાં માત-પિતા સ્ત્રી પુત્રાદિક સર્વ મરી જાય છે, તેનાં દુઃખ શોક હર્ષ સ્વપ્ન અવસ્થામાં નથી થતાં.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com