________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગોત્રકર્મ વિવરણ
(દોહરો) ગોત્રાદિક સબ કર્મકુ, ત્યાગ ભયે જિનરાજ;
ધર્મદાસક્ષુલ્લક કરે, વંદન સુખકે કાજ.
જેમ કુંભકાર નાનાં-મોટાં માટીનાં વાસણ કરે છે (ચિત્ર ક્રમાંક: ૯) તેમ સ્વસ્વરૂપ જ્ઞાનરહિત કોઈ જીવ છે તે નીચ-ઉચ્ચ ગોત્રકર્મને કરે છે, તેથી નીચગોત્ર-ઉચ્ચગોત્ર છે. અહીં આમ સમજવું કે-માતાપક્ષને તો જાતિ કહે છે તથા પિતાપક્ષને કુલ કહે છે, જાતિ અને ગોત્ર એવા બે ભેદ કહેવામાત્ર છે; અમેદવસ્તુમાં એ બે ભેદ જળ-તરંગવત્ તન્મયી છે. જેમ આંબાના વૃક્ષને કેરી જ લાગે છે ત્યાં વિચાર કરો ! આમ્રની જાતિ પણ આમ્ર જ છે તથા આમ્રનું કુલ છે તે પણ આમ્ર જ છે, જેમ મિશ્રી (સાકર), ફટકડી, લૂણ અને નૌસાર આદિ છે તે જળની જાતિ છે કારણ કે તેને પાણીમાં ભેળવો તો તે (પાણીમાં) ભળી જાય છે અર્થાત્ ભળી જાય તે નિશ્ચય જાતિ છે, તે જ પ્રમાણે નીચગોત્ર-ઉચ્ચગોત્રનાં જ નીચ ઉચ્ચગોત્ર છે. અહીં સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુનો સ્વાનુભવ આ પ્રમાણે લેવો કે જેમ કુંભાર, માટીનાં નાનાં મોટાં વિવિધ પ્રકારનાં વાસણ બનાવે છે-કરે છે પરંતુ માટી ચક્ર દંડ અને નાનાં મોટાં વિવિધપ્રકારનાં વાસણોથી તન્મયી બની કરતો નથી, કારણ કે કુંભાર
આ વિચાર-ચિંતન ન કરે તો પણ તેના અંતઃકરણમાં આવો અચલ નિશ્ચય છે કે-હું માટી નથી તથા માટીનાં નાનાં મોટાં વાસણાદિક કર્મ છે તે પણ હું નથી તથા દંડ ચકાદિક કર્મ છે તે પણ હું નથી અને આ હાડ-માંસ-ચર્માદિમય શરીર છે તે પણ હું નથી, તથા તન-મન-ધનવચનાદિક છે તે પણ હું નથી, ઇત્યાદિક (નિશ્ચય).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com