________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા અંદર ગઢમાં જાઉં? અર્થાત મારામાં દેખવા - જાણવાનો ગુણ સ્વભાવથી જ છે. હવે હું કોને દેખું અને કોને ન દેખું?
દર્શનાવરણીકર્મનો, પ્રગટ બતાવ્યો ભેદ, તોપણ ગુરુવિણ ન મળે, ઘણો કરો તુમ ખેદ.
જેમ સૂર્યમાં પ્રકાશગુણ છે, તેમ જે વસ્તુમાં દેખવાનો ગુણ છે તે જ વસ્તુ દર્શન છે, તે દર્શનના પર અપેક્ષાએ ચાર ભેદ છે, તે પણ સમ્યગ્દર્શન તો સ્વભાવને ઉલ્લંઘીને ચક્ષુ (દર્શન) કાંઈ ચક્ષુ થતું નથી, જેમ જન્માંધ (મનુષ્ય ) પોતાના અને પરના શરીરને દેખતો જાણતો નથી. તે જ પ્રમાણે અજ્ઞાન વસ્તુ છે તે સ્વ-પરને જાણતી દેખતી નથી. વળી જેમ સડકના રસ્તાની એક તરફ એક દ્વારનું મકાનસ્થાન છે તેની અંદર એક સ્થાન અર્થાત્ મકાનની અંદર મકાન છે ત્યાં અંધારામાં એક પુરુષ બેઠો બેઠો તે મકાનદ્વારા બહાર રસ્તામાં (કોઈ ) આવે જાય છે, તેને પણ જાણે છે તથા પોતાને પણ જાણે છે, તે જ પ્રમાણે દર્શન છે તે સ્વ-પરને દેખે છે, જેમ સૂર્યથી પ્રકાશ ભિન્ન નથી તેમ દર્શનથી દેખવું - જાણવું કદી પણ ભિન્ન નથી. સર્વને દેખે છે તે દર્શન છે.
ઇતિ દર્શનાવરણીકર્મ વર્ણન સમાપ્ત.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com