________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા સ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવતુ જેવી ને તેવી સ્વભાવમાં જ છે. અર્થાત્ જેમ સૂર્યને અને અમાવસ્યાની મધ્યરાત્રિને પરસ્પર અત્યંત ભેદ છે, તે જ પ્રમાણે સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુને અને જ્ઞાનાવરણીકર્મને પરસ્પર અત્યંત ભેદ છે, કારણ કે – કર્મ અજ્ઞાન છે અને તે જ્ઞાન છે, કર્મ અચેતન છે અને તે ચેતન છે, કર્મ અજીવ છે અને તે જીવ છે. જ્ઞાન કર્મને જાણે છે પણ કર્મ જ્ઞાનને જાણતા નથી, જ્ઞાન અને કર્મ એ વસ્તુ તો એ છે પણ બન્નેનાં લક્ષલક્ષણ એક નથી, જેમ સૂર્ય અને પ્રકાશ એક છે તેમ જ્ઞાન અને અજ્ઞાન ન એક છે – ન થશે કે ન થયાં હતાં. જ્ઞાન અને અજ્ઞાનને મેળ છે તે એવો નથી કે જેવો ફૂલ –સુગંધનો, તલ – તેલનો તથા દૂધ-ધૂતનો જેવો મેળ છે. વળી જ્ઞાન અને અજ્ઞાનનો અંતરભેદ છે તે આવો છે કે જેવો સૂર્ય અને અંધકારનો અંતરભેદ છે. આ અનાદિ વાર્તા છે. શ્રી ગુરુ વિના તેના સારનો લાભ થતો નથી.
જેમ સૂર્યમાં પ્રકાશગુણ સૂર્યના સ્વભાવથી જ છે તેમ જ વસ્તુમાં કેવલજ્ઞાનાદિ જ્ઞાનથી તન્મયી ગુણ છે તે કેવલજ્ઞાન છે અર્થાત્ જેમાં કેવલજ્ઞાનાદિ ગુણો નથી તે અજ્ઞાનવસ્તુ છે અને જેમાં જ્ઞાનગુણ છે એવો કેવલ જ્ઞાન (ગુણ) છે; તે પરઅપેક્ષાએ આઠ પ્રકારથી છે. પણ જેમ સૂર્ય-પ્રકાશ એક તન્મયી છે તેમ કેવલજ્ઞાનવસ્તુ પોતાના ગુણ સ્વભાવ લક્ષણને છોડીને જડ અજ્ઞાનમયી વસ્તુથી કદી પણ ન એક તન્મયી થઈ છે – ન થશે કે ન છે. માટે હે સજ્જન! આઠ પ્રકારના જ્ઞાનાવરણી કર્મનો તું વિચાર કર કે જ્ઞાનને અને આ કર્મને તન્મયતા છે કે નથી? તેનો વિચાર કર. (ચિત્ર ક્રમાંકઃ ૩)
(દોહરો) પ્રકાશ સૂરજ એક છે, જડ ચેતન નહીં એક ધર્મદાસ ક્ષુલ્લક કહે મનમેં ધાર વિવેક.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com