________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦ ]
[ સમ્યજ્ઞાન દીપિકા ગમ્ય સમ્યજ્ઞાનમયી સૂર્યસ્વભાવવતુ પોતાની પોતામાં સ્વસ્વભાવથી જ જેવી છે તેવી છે, જે સ્વભાવમયી વસ્તુમાં મૂળથી જ તર્કનો અભાવ છે, તે જ હું છું, એ પ્રમાણે પોતાના પોતાપણાને પોતાદ્વારા વા ગુરુવચન દ્વારા કલ્પી લેવો; ત્યાર પછી (ચિત્ર હસ્તાંગુલી) મૌન સહિત એકાંત સ્થાનમાં બેસીને દેખ્યા જ કરો, દેખતાં દેખતાં દેખવું જ રહેશે. નાચવામાં મજા નથી પણ નૃત્ય-નાચ દેખવામાં મજા છેઃ
(દોહરો) સમ્યકજ્ઞાન સ્વભાવથી સદા ભિન્ન અજ્ઞાન, ધર્મદાસ લુલ્લક કહે પ્રેમચંદ તું માન. ચિત્રાંગુલકો દેખ કે, મનમેં કરો વિચાર;
ધર્મદાસ લુલ્લક કહે, પાવેગા ભવપાર.
જેમ સૂર્યનો પ્રકાશ, પૃથ્વી, જળ, અગ્નિ આદિ કર્તા, કર્મ, ક્રિયા તથા શુભ, અશુભ વસ્તુની ઉપર છે તે જ પ્રમાણે ચિત્રહસ્તાંગુલીથી ઉપર સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યકજ્ઞાનમયી સ્વભાવસૂર્યનો જ્ઞાનગુણ પ્રકાશ છે, પરંતુ ચિત્રહસ્તાંગુલીથી તથા ચિત્રહસ્તાગલીનો ભાવ ક્રિયા કર્મ આદિ જેટલો કોઈ શુભાશુભ વ્યવહાર છે તેનાથી જ્ઞાનગુણ ન તન્મયી છે, ન તન્મયી થવાનો છે, કે ન તન્મયી થયો હતો, વળી જ્ઞાનગુણ તથા જે ગુણીનો જ્ઞાન ગુણ છે તે પણ ચિત્રહસ્તાગલીની સાથે તથા ચિત્રહસ્તાંગુલીના ભાવ ક્રિયા કર્મ આદિ જેટલા કોઈ શુભાશુભ વ્યવહાર છે તેનાથી ન તન્મયી થયા છે, ન થશે તથા ન છે.
વિશેષ અન્ય સમજવા યોગ્ય છે તે સાંભળો! જેમ એક મોટું પહોળું લાંબું સ્વચ્છ સ્વભાવમય દર્પણ છે તેની સામે અનેક પ્રકારના કાળા, પીળા, લાલ, લીલા, સફેદાદિ રંગના વાંકાચૂંકા, લાંબા, પહોળા, ગોળ, તિરછા આદિ આકાર છે તેની પ્રતિછાયા-પ્રતિબિંબ તે સ્વચ્છ દર્પણમાં તન્મયવત્ દેખાય છે, તે જ પ્રમાણે સ્વસ્વરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com