________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૦)
પછી મેં સ્વામીને પ્રશ્ન ન કર્યો. છાનોમાનો રહ્યો, પરંતુ જેમ કૂતરાના માથામાં ઇયળ પડી જાય તેમ મારા મસ્તિકમાં તેવી ભ્રાંતિ પડી ગઈ. હું તે ભ્રાંતિ સહિત જેઠ મહિનામાં સન્મેદશિખર ગયો. ત્યાં પણ પહાડ ઉપર, નીચે વનમાં તે પ્રસિદ્ધ સિદ્ધ પરમાત્માને દેખવા લાગ્યો, ત્રણ દિવસ સુધી દેખ્યું પરંતુ ત્યાં પણ તે પ્રસિદ્ધ સિદ્ધ દેખાયા નહિ. ત્યારે ૧૦ મહિના પછી હું ફરીથી દેવેન્દ્રકીર્તિ સ્વામી પાસે આવ્યો. મેં સ્વામીને વિનંતી કરી કે “હું પ્રભુ! તે પ્રસિદ્ધ સિદ્ધ પરમાત્મા પ્રગટ છે, મને દેખાતા નથી, કૃપા કરીને આપ દેખાડો.” ત્યારે સ્વામી બોલ્યા : “જે સર્વને દેખે છે તેને દેખ! તું જ છો'' - એમ સ્વામીએ મારા કાનમાં કહ્યું. તે જ સમયે મારા અંતરમાં મારી અંતરદૃષ્ટિ થઈ ગઈ.
આત્મજ્ઞાન પ્રાપ્તિ : વિક્રમ સંવત ૧૯૩૫ સ્વર્ગવાસ : વિક્રમ સંવત-૧૯૪૮
*
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com