________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વષનો ઉપદેશ દેતો હતો. અમુક ભલા છે, અમુક ખોટા છે વગેરે ઉપદેશ દરમિયાન શ્રી કુંજીલાલ સિંધઈએ મને કહ્યું કે ““આપ કોને ભલા-બૂરા કહો છો, જાણો છો, માનો છો?' સર્વ વસ્તુ પોત પોતાના સ્વભાવ વડે, સ્વભાવમાં જેવી છે તેવી જ છે; પહેલાં પોતે પોતાને સમજો !'' - આ પ્રકારે શ્રી કુંજીલાલ સિંધઈએ મને કહ્યું તોપણ મારા અંતરમાં મારી સ્વાનુભવ અંતરાત્મદષ્ટિ ન થઈ.
કારણ પામીને હું શહેર કારંજાના પટ્ટાધીશ શ્રીમદ્ દેવેન્દ્રકીર્તિજી ભટ્ટારક મહારાજને મળ્યો. મહારાજના શરીરની વય ૯૫ વર્ષની હતી. સ્વામીએ મને પૂછયું કે “તમને સિદ્ધપૂજાપાઠ આવડે છે કે નથી આવડતો?” ત્યારે મેં કહ્યું “મને આવડે છે. ત્યારે સ્વામીએ કહ્યું કે “જયમાલાનો અંતિમ શ્લોક બોલો', ત્યારે હું અંતિમ શ્લોક બોલ્યો: ““વિવર્ણ વિગંધ વિમાન વિલોભ, વિમાય વિકાય વિશબ્દ વિશીભ, અનાકુળ, કેવળ સર્વ વિમો, પ્રસીદ વિશુદ્ધ સુસિદ્ધ સમૂહ.'' ત્યારે શ્રીગુરુએ મને પૂછયું કે “સ્વયં સિદ્ધ પરમાત્મા તો કાળા, પીળા, લાલ, લીલા, ધોળા વર્ણરહિત છે, શબ્દ દ્વારા ભાસ થાય છે, સર્વ આકુળતા રહિત છે, સર્વસ્થળે વિશુદ્ધ પ્રસિદ્ધ પ્રગટ છે. જુઓ ! જુઓ! તે પરમાત્મા તમને દેખાય છે કે નથી દેખાતાં?” ત્યારે સ્વામીનાં શ્રીમુખેથી આ સાંભળી, વિસ્મિત થઈ ગયો. સ્વામી તો મારા પાસેથી ઉઠીને જૈનમંદિરમાં ચાલ્યા ગયા, અને મેં મારા મનમાં ઘણું વિચાર્યું કે તે પ્રસિદ્ધ સિદ્ધ પરમાત્મા મને કોઈ સ્થળે, કોઈ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવભાવમાં દેખાયા નથી. મેં વિચાર્યું કે : કાળા, પીળા, લાલ, લીલા, ધોળા, કાયા, માયા, છાયાથી જુદાં છે તો પણ તે પ્રસિદ્ધ સિદ્ધ પ્રગટ છે પરંતુ હું તો
જ્યાં જોઉં છું ત્યાં વર્ણ - રંગ – ડાયાદિક જ દેખાય છે, તે પ્રસિદ્ધ સિદ્ધ પ્રગટ છે તો મને કેમ નથી દેખાતા? વગેરે વિચાર ઘણા કર્યા. તત્પશ્ચાત્ મેં સામેથી કહ્યું : હે કૃપાનાથ! તે પ્રસિદ્ધ સિદ્ધ પ્રગટ છે તે તો મને દેખાતા નથી. ત્યારે સ્વામી બોલ્યા : જે “આંધળો હોય તેને નથી દેખાતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com