________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૭) વસ્તુને કાંઈના બદલે કાંઈ સમજે છે તે મૂર્ખ છે, જેને પરમાત્માનું નામ પ્રિય છે તેને આ ગ્રંથ જરૂર પ્રિય થશે. આ ગ્રંથનો સાર આવો લેવો કેસમ્યજ્ઞાનમયી ગુણીને ગુણથી સર્વથા પ્રકાર ભિન્ન છે એ જ અવગુણને છોડી, સ્વભાવજ્ઞાનગુણ ગ્રહણ કરવો, પછી ગુણને પણ છોડી ગુણીને ગ્રહણ કરવો, ત્યાર પછી ગુણ-ગુણીની ભેદ કલ્પનાથી સર્વથા પ્રકારે ભિન્ન થઈ પોતાને પોતામાં પોતામય સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુની સાથે સૂર્યપ્રકાશવત્ મળીને રહેવું. એ જ અવગુણ છોડવાનો તથા સ્વભાવગુણથી તન્મયી રહેવાનો (ઉપદેશ) આ ગ્રંથમાં કહ્યો છે. જેમ દીપકજ્યોતિના પ્રકાશમાં કોઈ પાપ કરો વા કોઈ પુણ્ય કરો, પરંતુ એ પાપપુણ્યનું ફળ જે સ્વર્ગ-નરકાદિક છે તે આ દીપકજ્યોતિને લાગતાં નથી તથા તેને પાપ-પુણ્ય પણ લાગતાં નથી તે જ પ્રમાણે આ સમ્યજ્ઞાનદીપિકા પુસ્તકને ભણવા-વાંચવા વા ઉપદેશ આપવા વડે કોઈને પોતાના પોતામાં પોતામય સ્વસ્વભાવમય સમ્યજ્ઞાનાનુભવની અચલ પરમાવગાઢતા થશે તેને પાપ-પુણ્ય, જન્મ-મરણ, સંસારનો સ્પર્શ થશે નહિ તથા તેને જરા પણ શુભાશુભ લાગશે નહિ એવો નિશ્ચય છે.
|| ઇતિ પ્રસ્તાવના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com