SearchBrowseAboutContactDonate
Page Preview
Page 431
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૧૨૩ ૪૧૩ સમેટી લે. આહા..હા..! જ્ઞાનની કિરણો (એટલે કે, પર્યાય જે બહાર દયા, દાન, વ્રતાદિમાં જતી હોય. આહાહા....! તેને પણ સમેટી લ્ય. આહા..હા...! સંકેલી લ્ય. છે ? “જ્ઞાનકિરણોના સમૂહને.” બહાર નીકળતા એવા પોતાનાં....” (જ્ઞાનકિરણો). પોતાની જે જ્ઞાનની પર્યાય – ઉપયોગ બહાર જતી હોય તેને ‘(અર્થાત્ કર્મના નિમિત્તે પરમાં જતી જ્ઞાનની વિશેષ વ્યક્તિઓને..” એટલે મૂળ તો વિકાર. જ્ઞાન અંદરમાંથી છૂટીને) બહાર જાય ત્યાં વિકાર (ઉત્પન્ન થાય છે). (એ વ્યક્તિઓને) “અલ્પ કાળમાં સમેટીને,... આહા..હા...! રાગમાં જતું જ્ઞાન, એને અલ્પ કાળમાં સમેટીને. પછી કરશું, પછી કરશું, પછી કરશું, એમ નહિ એમ કહે છે. આહા...હા.... જે જ્ઞાનસ્વરૂપ ભગવાન ! શુભાશુભ રાગમાં એ જ્ઞાનનું કિરણ જતું તેને “અલ્ય કાળમાં સમેટીને...” આહાહા.! કેમકે જે પરમાં જતું (એ) તો બંધનું કારણ છે. એથી એને અલ્પ કાળમાં સમેટી આત્મામાં સમાવે. આહાહા...! ‘અલ્ય કાળમાં...” (સમેટીને) પૂર્ણ, જ્ઞાનઘન...” પૂિર્ણ જ્ઞાન-ઘન-ગોધમ્ મ્ વિનં શાન્ત મહં] પૂર્ણ, જ્ઞાનઘનના પુંજરૂપ” પ્રભુ એકલો મુંજ – જ્ઞાનનો ઢગલો ! સમજણનો પિંડ ! જ્ઞાનનો રસકંદ ! ધ્રુવ ! આ...હા.હા...! એવો જે જ્ઞાનનો પુંજ. જ્ઞાનઘનના પુંજમાં. જ્ઞાનઘનરૂપી પુંજમાં, પુંજરૂપ, એક... આહાહા.! એ એક સ્વરૂપ છે તેમાં સ્થિર થાય. અનેકપણા તરફ વળતું હોય એને છોડી દયે. રાગાદિભાવતને છોડી દયે). એક તો એ કીધું, પૂર્ણ, જ્ઞાનઘનના પુંજરૂપ..” બે ‘એક,...” વસ્તુ એકરૂપ છે. ચૈતન્ય.. ચૈતન્ય. ચૈતન્ય... ચૈતન્ય.... ચૈતન્ય. ચૈતન્ય... ચૈતન્ય.... અનાદિનિધન એકરૂપ વસ્તુ છે. એમાં સમેટી લ્ય. ઊલટી પ્રવૃત્તિ જતી હોય તો એમાંથી) ખસીને આમ લાવી દયે. “અચળ,” છે. એવો ભગવાન આત્મા પૂર્ણાનંદ સ્વરૂપ અચળ છે. આ..હા..! “શાંત તેજને...” શાંત તેજ ! શાંતિ – ઉપશમરસથી ભરેલો ! આ.હા...હા...! શાંતપુંજ – શાંત તેજનો પંજ ! (એ) તેજ:પુંજને દેખે છે.” પર તરફની વૃત્તિ ખેંચીને આત્મા ઉપર આવે છે ત્યારે પોતાના આવા પૂર્ણને, પૂર્ણ જ્ઞાનઘન પુંજરૂપને, એકને, અચળને, શાંત તેજને, શાંત તેજના પુંજને “અનુભવે છે.” દેખે છે એટલે અનુભવે છે. એનું નામ આત્માનું જ્ઞાન અને આત્માનો અનુભવ, એનું નામ મોક્ષનો માર્ગ. આહાહા..! ન ત્યાન્વ:” આમાં ક્યાંક આવ્યું હતું. પહેલામાં આવ્યું હતું ને ? આમાંય આવ્યું ન ત્યાન્વ:' (એટલે કે શુદ્ધનયનો) ત્યાગ ન કરવો, એમ. રાગનો ત્યાગ કરવો. પરવસ્તુના ત્યાગ-ગ્રહણની અહીં વાત નથી. પરવસ્તુનો ત્યાગ-ગ્રહણ આત્મામાં છે જ નહિ. આહાહા....! રાગ જે છે તે ત્યાજ્ય (છે) અને સ્વભાવ જે છે તે અત્યાજ્ય (છે). સ્વભાવનો આદર, સત્કારનું પરિણમન (અને) રાગનો અભાવ. આહાહા.! આવું સમજવું પહેલું કઠણ પડે માણસને (એટલે લોકો ક્રિયાકાંડમાં તણાય ગયા, એમાં ધર્મ મનાઈ ગયો.
SR No.008310
Book TitleSamaysara Siddhi 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2007
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy