SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૪ સમયસાર સિદ્ધિ-૬ (મનુષ્યમ) रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः। तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम्।।११९।। શ્લોકાર્ધઃ- [] કારણ કે [જ્ઞાનિન: રાગદ્વેષવિમોદીનાં મસમવ:] જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે [તત: રવા તેથી રિચ વન્યઃ ના તેને બંધ નથી; [રિ] કેમ કે તે વચ્ચે વIRUHI તે (રાગદ્વેષમોહ) જ બંધનું કારણ છે. ૧૧૯. શ્લોક ૧૧૯ ઉપર પ્રવચન “હવે આ જ અર્થ દઢ કરનારી બે ગાથાઓ આવે છે તેની સૂચનિકારૂપ શ્લોક કહે છે :- ૧૧૯ કળશ. रागद्वेषविमोहानां ज्ञानिनो यदसम्भवः। तत एव न बन्धोऽस्य ते हि बन्धस्य कारणम् ।।११९ ।। આહા..હા..! શ્લોકાર્થ:- “કારણ કે...' જ્ઞિાનિનઃ રાષિવિમોરનાં સન્મવ: “જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે..” મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો અભાવ (થયો) એને અહીંયાં અભાવ કહ્યો છે. આહા..હા..! ધર્મીને, ધર્મી જીવની દૃષ્ટિમાં તો ભગવાન છે. આહા..હા...! અજ્ઞાનીની દૃષ્ટિમાં રાગ છે અને પર્યાય છે. આહા..હા..! મિથ્યાષ્ટિની દૃષ્ટિમાં પર્યાય એક સમયની કાં રાગ છે) એ એની દૃષ્ટિમાં છે. તેથી દૃષ્ટિનો વિષય છે સ્વભાવ, તેનો એને અનાદર છે. આહા...હા....! સમકિતીને પૂર્ણાનંદનો સ્વભાવ તે જ આદરણીય અને (તેનો ) સત્કાર છે. એ જ એની ચીજ છે અને એને એ આદરે છે. તેથી તે રાગ-દ્વેષ અસ્થિરતાના થાય તેને આદર આપતો નથી. એમાં હોંશ અને હરખ કરતો નથી. આવે, ધર્મીને રાગ, વિનય વ્યવહાર દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ એવો ભાવ આવે પણ) બંધનું કારણ. આહાહા..! આવી વાત છે, ભાઈ ! બહુ કામ (આકરું). જગતની સાથે મેળ કરવો મુશ્કેલ પડે એવું છે. જગત એટલે મિથ્યાત્વ અને સંસાર. આહા...હા...! આ...હા.હા..! તેથી “જ્ઞાનીને રાગદ્વેષમોહનો અસંભવ છે...” પેલો અભાવ કહ્યો હતો આ અસંભવ કહ્યું. “તેથી...” [અન્ય વન્ધ: ન] તેને બંધ નથી; કેમ કે...” તેિ વધૂચ IRM] તે (રાગદ્વેષમોહ) જ બંધનું કારણ છે.” મિથ્યાત્વ ને અનંતાનુબંધીના રાગ-દ્વેષ, એ જ બંધનું કારણ (છે) એ જ્ઞાનીને નથી. આહા...હા...! હવે આવું બધું વાંચે ને એકાંત લઈ જાય. આ..હા...! અને પાછું તે એમાં કહી ગયા છે ને કે, યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી જઘન્ય ભાવમાં છે એને બંધ છે. ઈ કહી ગયા છે. આહા...હા..! એ વાત જણાવી દીધી છે.
SR No.008310
Book TitleSamaysara Siddhi 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2007
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy