SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા ૧૬૧ થી ૧૬૩ ૧૬૩ પ્રવચન ન. ૨૩૯ ગાથા-૧૬૧–૧૬૩ મંગળવાર, જેઠ સુદ ૪, તા. ૨૯-૦૫-૧૯૭૯ સમયસાર ૧૬ ૧થી ૧૬૩ ગાથા, એની ટીકા. એક શબ્દ ચાલ્યો છે. નહિ ? ટીકા છે ને? “સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. ટીકા, ૧૬ ૧ થી ૧૬ ૩ ની ટીકા. એને બતાવો. છેલ્લી ત્રણ ગાથાની (ટીકા). શું કહે છે ? સમ્યત્વ જે છે એ આત્મા શુદ્ધ પરિપૂર્ણ અખંડ આનંદ (સ્વરૂપ છે) તેની સન્મુખ થઈને તેનું જ્ઞાન થઈ તેની પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એ પર્યાય છે. પર્યાયરૂપ ભાવ છે. છે ને ? સમ્યક્ત્વ એ પર્યાય છે. ત્રિકાળી જ્ઞાયક સ્વરૂપ ભગવાન, (તેમાં) અંતર્મુખ થઈને સમ્યગ્દર્શન અનંત કાળમાં થયું નથી, એવા સ્વભાવનો અનુભવ થઈને પ્રતીતિ થવી તેનું નામ સમ્યગ્દર્શન છે). એ સમ્યગ્દર્શન સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે...” એ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. સમ્યગ્દર્શનની પર્યાય મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. તેને રોકનારું મિથ્યાત્વ છે;” એ સમ્યગ્દર્શનથી વિરુદ્ધ, સમ્યગ્દર્શનની પર્યાય જે મોક્ષનું કારણ છે તેનાથી વિરુદ્ધ મિથ્યાત્વ ભાવ (છે). દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામમાં ધર્મ માનવો, પરને હું કાંઈક કરી શકું છું એવી મિથ્યાશ્રદ્ધા, એ મિથ્યાશ્રદ્ધાના સ્થળપણે અસંખ્ય પ્રકાર) છે અને સૂક્ષ્મ અનંત પ્રકાર) છે. એ મિથ્યાત્વભાવ, સમકિતરૂપી ભાવથી વિરુદ્ધ છે. સમજાણું ? સમ્યકત્વ (અર્થાત) સમ્યકપણું, સત્યપણું. એ પૂર્ણ સત્યસ્વરૂપ પ્રભુ ! તેની અનુભવમાં પ્રતીત થવી અને આત્માનું આત્મારૂપે શુદ્ધ પરિણમન થવું. પુણ્ય અને પાપના વિકલ્પ – રાગથી ભિન્ન પરિણમન થવું), એવું જે સમ્યગ્દર્શન છે એ મોક્ષના કારણરૂપ સ્વભાવ છે. આહા...! મોક્ષ નામ આત્માનો પૂર્ણ આનંદરૂપી લાભ તે મોક્ષ. અને પૂર્ણથી દુઃખથી મુક્ત થવું તે મોક્ષ. એ મોક્ષનું સમ્યગ્દર્શન કારણરૂપ સ્વભાવ છે. આહા...! કારણરૂપ સ્વભાવ છે. તેનાથી વિપરીત, મિથ્યાત્વભાવ તેનાથી વિપરીત છે. મિથ્યાત્વભાવનો અર્થ કે, પુણ્યના દયા, દાન, વ્રત, ભક્તિના ભાવ એ પુણ્ય છે તેને ધર્મ માને અને તેને ધર્મનું કારણ માને તો એ મિથ્યાત્વભાવ છે. એ મિથ્યાત્વભાવ, સમ્યગ્દર્શન કે જી મોક્ષના કારણ(રૂ૫) સ્વભાવ છે તેનાથી) વિરુદ્ધ ભાવ છે. મુમુક્ષુ :- પુણ્યમાં દોષ શું ? ઉત્તર :- મિથ્યાત્વ દોષ છે. અનંત સંસારનું કારણ વિપરીત માન્યતા. શ્રદ્ધા વિપરીત (છે). જેવું સત્ય છે તેવી માન્યતા નહિ કરી, હું પરનું કંઈક કરી શકું છું અને પરથી મારામાં
SR No.008310
Book TitleSamaysara Siddhi 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2007
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy