SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ભગવાનશ્રીકુંદકુંદ સમયસાર-કલશ 6 "" ખંડાન્વય સહિત અર્થ:- હિ જ્ઞાનિન: સર્વે ભાવા: જ્ઞાનનિવૃત્તા: ભવન્તિ (f૪) નિશ્ચયથી (જ્ઞાનિન:) સમ્યગ્દષ્ટિને (સર્વે ભાવા:) જેટલા પરિણામ છે તે બધા (જ્ઞાનનિવૃત્તા: ભવન્તિ) જ્ઞાનસ્વરૂપ હોય છે. ભાવાર્થ આમ છે કે સમ્યગ્દષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી સમ્યગ્દષ્ટિનો જે કોઈ પરિણામ હોય છે તે જ્ઞાનમય શુદ્ધત્વજાતિરૂપ હોય છે, કર્મનો અબંધક હોય છે. ' तु ते सर्वे अपि अज्ञानिनः अज्ञाननिर्वृत्ताः भवन्ति (g) આમ પણ છે કે (તે) જેટલા પરિણામ ( સર્વે અપિ) શુભોપયોગરૂપ અથવા અશુભોપયોગરૂપ છે તે બધા (જ્ઞાનિન: ) મિથ્યાદષ્ટિને (જ્ઞાનનિવૃત્તા:) અશુદ્ધત્વથી નીપજ્યા છે, (મવત્તિ) વિધમાન છે. ભાવાર્થ આમ છે કે- સમ્યગ્દષ્ટિ જીવની અને મિથ્યાદષ્ટિ જીવની ક્રિયા તો એકસરખી છે, ક્રિયાસંબંધી વિષય-કષાય પણ એકસરખા છે, પરન્તુ દ્રવ્યનો પરિણમનભેદ છે. વિવરણ-સમ્યગ્દષ્ટિનું દ્રવ્ય શુદ્ધત્વરૂપ પરિણમ્યું છે તેથી જે કોઈ પરિણામ બુદ્ધિપૂર્વક અનુભવરૂપ છે અથવા વિચારરૂપ છે અથવા વ્રતક્રિયારૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ચારિત્રમોહના ઉદયે ક્રોધ, માન, માયા, લોભરૂપ છે તે સઘળાય પરિણામ જ્ઞાનજાતિમાં ઘટે છે, કેમ કે જે કોઈ પરિણામ છે તે સંવર-નિર્જરાનું કારણ છે;–એવો જ કોઈ દ્રવ્યપરિણમનનો વિશેષ છે. મિથ્યાદષ્ટિનું દ્રવ્ય અશુદ્ધરૂપ પરિણમ્યું છે, તેથી જે કોઈ મિથ્યાદષ્ટિના પરિણામ તે અનુભવરૂપ તો હોતા જ નથી; તેથી સૂત્ર-સિદ્ધાન્તના પાઠરૂપ છે અથવા વ્રતતપશ્ચરણરૂપ છે અથવા દાન, પૂજા, દયા, શીલરૂપ છે અથવા ભોગાભિલાષરૂપ છે અથવા ક્રોધ, માન, માયા, લોભરૂપ છે, -આવા સઘળા પરિણામ અજ્ઞાનજાતિના છે, કેમ કે બંધનું કારણ છે, સંવર-નિર્જરાનું કારણ નથી;–દ્રવ્યનો એવો જ પરિણમનવિશેષ છે. ૨૨ ૬૭. (અનુષ્ટુપ ) अज्ञानमयभावानामज्ञानी व्याप्य भूमिकाः । द्रव्यकर्मनिमित्तानां भावानामेति हेतुताम् ।। २३-६८ ।। 33 ખંડાન્વય સહિત અર્થ:- એમ કહ્યું છે કે સમ્યગ્દષ્ટિ જીવની અને મિથ્યાદષ્ટિ જીવની બાહ્ય ક્રિયા તો એકસરખી છે પરંતુ દ્રવ્યનો પરિણમનવિશેષ છે, તે વિશેષના અનુસાર દર્શાવે છે, સર્વથા તો પ્રત્યક્ષ જ્ઞાનગોચર છે. ‘અજ્ઞાની .. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy