________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
४८
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ
ત્રણ લોકને કોના વડ જાણે છે? ““પ્રસમવિદ્રવ્યરુન્નિત્રશસ્યા'' (પ્રમ) બલાત્કારથી (વિવસત) પ્રકાશમાન છે (વ્ય) પ્રગટપણે એવો છે જે (ચિન્મત્રિશવજ્યા) જ્ઞાનગુણસ્વભાવ તેના વડે જાણ્યા છે ત્રણ લોક જેણે એવી છે. વળી શું કરીને ? ‘‘લ્ય જ્ઞાનવ્ર વછનાત પાટ નાયિત્વા'' (બ્લ્યુ) પૂર્વોક્ત વિધિથી (જ્ઞાન) ભેદબુદ્ધિરૂપી (વે) કરવતના (વનાત્) વારંવાર અભ્યાસથી (પાન) જીવ-અજીવની ભિન્નરૂપ બે ફાડ (વિભાગ) (નાયિત્વા) કરીને. કોઈ પ્રશ્ન કરે છે કે જીવ-અજીવની બે ફાડ તો જ્ઞાનરૂપી કરવત વડે કરી, તે પહેલાં તેઓ કેવા રૂપે હતાં? ઉત્તર-“યાવત્ નવાનવી છુટવિયર ન વ યાત:'' (યાવત્ ) અનંત કાળથી માંડીને (નવાનીવી) જીવ અને કર્મનો એકપિંડરૂપ પર્યાય (ફુવિઘટન ) પ્રગટપણે ભિન્નભિન્ન ( વ પ્રયતિ:) થયો નહોતો. ભાવાર્થ આમ છે કે જેવી રીતે સુવર્ણ અને પાષાણ મળેલાં ચાલ્યાં આવે છે, અને ભિન્નભિન્નરૂપ છે તોપણ અગ્નિનો સંયોગ વિના પ્રગટપણે ભિન્ન થતાં નથી, અગ્નિનો સંયોગ જ્યારે પામે ત્યારે જ તત્કાળ ભિન્નભિન્ન થાય છે, તેવી રીતે જીવ અને કર્મનો સંયોગ અનાદિથી ચાલ્યો આવે છે, અને જીવ-કર્મ ભિન્નભિન્ન છે તોપણ શુદ્ધસ્વરૂપ-અનુભવ વિના પ્રગટપણે ભિન્નભિન્ન થતાં નથી; જે કાળે શુદ્ધસ્વરૂપ-અનુભવ થાય છે તે કાળે ભિન્નભિન્ન થાય છે. ૧૩-૪૫.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com