SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૪૨ સમયસાર-કલશ [ ભગવાન શ્રીકુંદકુંદ ક્ષેત્રને જાણે છે, પોતાના પ્રદેશોથી સર્વથા શૂન્ય છે એવું (ન અનુમતિ) માનતો નથી; જ્ઞાનવસ્તુ શયના ક્ષેત્રને જાણે છે, યક્ષેત્રરૂપ નથી એમ માને છે. કેવો છે સ્યાદ્વાદી? ‘‘ત્યાર્થ: પિ'' શેયક્ષેત્રની આકૃતિરૂપે પરિણમે છે જ્ઞાન, એમ માને છે તોપણ જ્ઞાન પોતાના ક્ષેત્રરૂપ છે-એમ માને છે. વળી કેવો છે સ્યાદ્વાદી? ‘‘સ્વધામનિ વસન'' જ્ઞાનવસ્તુ પોતાના પ્રદેશોમાં છે એમ અનુભવે છે. વળી કેવો છે? “ “પરક્ષેત્રે નાસ્તિતાં વિન'' (પરક્ષેત્રે) જ્ઞયપ્રદેશની આકૃતિરૂપે પરિણમ્યું છે જ્ઞાન, તેમાં (નાસ્તિતા વિન) નાસ્તિપણે માને છે અર્થાત જાણે છે તો જાણો તોપણ એતાવન્માત્ર (એટલે માત્ર ) જ્ઞાનનું ક્ષેત્ર નથી-એમ માને છે સ્યાદ્વાદી. વળી કેવો છે? “TRIટૂ માણારર્થી'' પરક્ષેત્રની આકૃતિરૂપે પરિણમ્યો છે જ્ઞાનનો પર્યાય, તેનાથી ભિન્નપણે જ્ઞાનવસ્તુના પ્રદેશોનો અનુભવ કરવાને સમર્થ છે. તેથી સ્યાદ્વાદ વસ્તુસ્વરૂપનો સાધક, એકાન્તપણું વસ્તુસ્વરૂપનું ઘાતક; તેથી સ્યાદ્વાદ ઉપાદેય છે. ૯-૨૫૫. (શાર્દૂલવિક્રીડિત) पूर्वालम्बितबोध्यनाशसमये ज्ञानस्य नाशं विदन् सीदत्येव न किञ्चनापि कलयन्नत्यन्ततुच्छ: पशुः। अस्तित्वं निजकालतोऽस्य कलयन् स्याद्वादवेदी पुन: पूर्णस्तिष्ठति बाह्यवस्तुषु मुहुर्भूत्वा विनश्यत्स्वपि।।१०-२५६ ।। ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે કોઈ મિથ્યાદષ્ટિ જીવ એવો છે કે જે વસ્તુને પર્યાયમાત્ર માને છે, દ્રવ્યરૂપ નથી માનતો; તેથી શયવસ્તુના અતીતઅનાગત-વર્તમાનકાળ સંબંધી અનેક અવસ્થાભેદ છે, તેમને જાણતાં જ્ઞાનના પર્યાયરૂપ અનેક અવસ્થાભેદ થાય છે, તેમાં જ્ઞયસંબંધી પહેલો અવસ્થાભેદ વિનશે છે, તે અવસ્થાભેદ વિનશતાં તેની આકૃતિરૂપે પરિણમેલા જ્ઞાનપર્યાયનો અવસ્થાભેદ પણ વિનશે છે, તેનો-અવસ્થાભેદનો વિનાશ થતાં એકાન્તવાદી મૂળથી જ્ઞાન–વસ્તુનો વિનાશ માને છે. તેના પ્રતિ સમાધાન આમ છે કે જ્ઞાનવસ્તુ અવસ્થાભેદથી વિનશે છે, દ્રવ્યરૂપે વિચારતાં પોતાની જાણપણારૂપ અવસ્થાથી શાશ્વત છે, ન ઊપજે છે, ન વિનશે છે-આવું સમાધાન સ્યાદ્વાદી કરે છે. એજ કહે છે-“પશુ: સીતિ. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com
SR No.008304
Book TitleSamaysara Kalash
Original Sutra AuthorAmrutchandracharya
AuthorRajmal Pandey, Fulchandra Jain Shastri
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy