________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩)
[ ભગવાનશ્રીકુંદકુંદ
સમયસાર-કલશ (શાર્દૂલવિક્રીડિત)
बाह्याथैः परिपीतमुज्झितनिजप्रव्यक्तिरिक्तीभवद् विश्रान्तं पररूप एव परितो ज्ञानं पशो: सीदति। यत्तत्तत्तदिह स्वरूपत इति स्याद्वादिनस्तत्पुनर्दूरोन्मग्नघनस्वभावभरतः पूर्ण समुन्मज्जति।।२-२४८ ।।
ખંડાન્વય સહિત અર્થ:- ભાવાર્થ આમ છે કે જે જ્ઞાનમાત્ર જીવનું સ્વરૂપ છે તેમાં પણ ચાર પ્રશ્ન વિચારણીય છે. તે પ્રશ્ન કયા? એક તો પ્રશ્ન એવો કે જ્ઞાન શેયના સહારાનું છે કે પોતાના સહારાનું છે? બીજો પ્રશ્ન એવો કે જ્ઞાન એક છે કે અનેક છે? ત્રીજો પ્રશ્ન એવો કે જ્ઞાન અતિરૂપ છે કે નાસિરૂપ છે? ચોથો પ્રશ્ન એવો કે જ્ઞાન નિત્ય છે કે અનિત્ય છે? તેનો ઉત્તર આમ છે કે જેટલી વસ્તુ છે તે બધી દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે; તેથી જ્ઞાન પણ દ્રવ્યરૂપ છે, પર્યાયરૂપ છે. તેનું વિવરણ-દ્રવ્યરૂપ કહેતાં નિર્વિકલ્પ જ્ઞાનમાત્ર વસ્તુ; પર્યાયરૂપ કહેતાં સ્વજ્ઞય અથવા પરયને જાણતું થયું જ્ઞયની આકૃતિપ્રતિબિંબરૂપ પરિણમે છે જે જ્ઞાન. ભાવાર્થ આમ છે કે મને જાણવારૂપ પરિણતિ જ્ઞાનનો પર્યાય, તેથી જ્ઞાનને પર્યાયરૂપથી કહેતાં જ્ઞાન જ્ઞયના સહારાનું છે; (જ્ઞાનને) વસ્તુમાત્રથી કહેતાં પોતાના સહારાનું છે. -એક પ્રશ્નનું સમાધાન તો આ પ્રમાણે છે. બીજા પ્રશ્નનું સમાધાન આમ છે કે જ્ઞાનને પર્યાયમાત્રથી કહેતાં જ્ઞાન અનેક છે; વસ્તુમાત્રથી કહેતાં એક છે. ત્રીજા પ્રશ્નનો ઉત્તર આમ છે કે જ્ઞાનને પર્યાયરૂપથી કહેતાં જ્ઞાન નાસ્તિરૂપ છે; જ્ઞાનને વસ્તુરૂપથી વિચારતાં જ્ઞાન અતિરૂપ છે. ચોથા પ્રશ્નનો ઉત્તર આમ છે કે જ્ઞાનને પર્યાયમાત્રથી કહેતાં જ્ઞાન અનિત્ય છે; વસ્તુમાત્રથી કહેતાં જ્ઞાન નિત્ય છે. આવા પ્રશ્ન કરવામાં આવતા આ પ્રમાણે સમાધાન કરવું, સ્યાદ્વાદ આનું નામ છે. વસ્તુનું સ્વરૂપ આવું જ છે, તથા આ પ્રમાણે સાધતાં વસ્તુમાત્ર સધાય છે. જે કોઈ મિથ્યાદષ્ટિ જીવો વસ્તુને તે વસ્તુરૂપ છે તથા તે જ વસ્તુ પર્યાયરૂપ છે એમ માનતા નથી, સર્વથા વસ્તુરૂપ માને છે અથવા સર્વથા પર્યાયમાત્ર માને છે, તે જીવો એકાન્તવાદી મિથ્યાદષ્ટિ કહેવાય છે; કારણ કે વસ્તુમાત્ર માન્યા વિના
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com