________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૨૧૩
વિના શુદ્ધ જીવસ્વરૂપના અનુભવરૂપ જે જ્ઞાનપરિણતિ, તેના વડે “ “ મતવ શુદ્ધ+ જ્ઞાનમ્ પ્રવેશતે પુ'' (તીવ શુદ્ધમ જ્ઞાનમ) સર્વથા નિરાવરણ કેવળજ્ઞાન (પ્રાશ) પ્રગટ થાય છે; [ ભાવાર્થ આમ છે કે-કારણ સદેશ કાર્ય થાય છે, તેથી શુદ્ધ જ્ઞાનને અનુભવતા શુદ્ધ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે-એમ ઘટે છે.] (વ) એમ જ છે નિશ્ચયથી. ‘તુ'' તથા
'अज्ञानसञ्चेतनया बन्धः धावन् बोधस्य शुद्धिं निरुणद्धि'' (अज्ञानसञ्चेतनया) રાગ-દ્વેષ-મોહરૂપ તથા સુખ-દુઃખાદિરૂપ જીવની અશુદ્ધ પરિણતિ વડે (વન્ય: ઘાવન) જ્ઞાનાવરણાદિ કર્મબંધ અવશ્ય થતો થકો (વોઇસ્ય શુદ્ધિ નિદ્ધિ ) કેવળજ્ઞાનની શુદ્ધતાને રોકે છે. ભાવાર્થ આમ છે કે જ્ઞાનચેતના મોક્ષનો માર્ગ, અજ્ઞાનચેતના સંસારનો માર્ગ. ૩ર-૨૨૪.
(આર્યા)
कृतकारितानुमननैस्त्रिकालविषयं मनोवचनकायैः। परिहृत्य कर्म सर्वं परमं नैष्कर्म्यमवलम्बे।। ३३-२२५।।
ખંડાન્વય સહિત અર્થ- કર્મચેતનારૂપ તથા કર્મફળચેતનારૂપ છે જે અશુદ્ધ પરિણતિ તેને મટાડવાનો અભ્યાસ કરે છે : “પરમ ભૈર્ચમ ભવનમ્પ'' હું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જીવ છું, સકળ કર્મની ઉપાધિથી રહિત એવું મારું સ્વરૂપ મને સ્વાનુભવપ્રત્યક્ષપણે આસ્વાદમાં આવે છે. શું વિચારીને? “ “સર્વ કર્મ પરિદત્ય'' જેટલું દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ છે તે સમસ્તનું સ્વામિત્વ છોડીને. અશુદ્ધ પરિણતિનું વિવરણ‘‘ત્રિવતિ વિષય'' એક અશુદ્ધ પરિણતિ અતીત કાળના વિકલ્પરૂપ છે જે “મેં આમ કર્યું, આમ ભોગવ્યું ' ઇત્યાદિરૂપ છે; એક અશુદ્ધ પરિણતિ આગામી કાળના વિષયરૂપ છે જે “આમ કરીશ, આમ કરવાથી આમ થશે” ઇત્યાદિરૂપ છે; એક અશુદ્ધ પરિણતિ વર્તમાન વિષયરૂપ છે જે “હું દેવ, હું રાજા, મારે આવી સામગ્રી, મને આવું સુખ અથવા દુ:ખ' ઇત્યાદિરૂપ છે. એક આવો પણ વિકલ્પ છે કે : ““ઋતિવારિતાનુમનનૈ.'' (વૃત) જે કંઈ પોતે હિંસાદિ ક્રિયા કરી હોય; (વારિત) છે, અન્ય જીવને ઉપદેશ દઈને, કરાવી હોય; (અનુમનનૈ:) જે, કોઈએ સહજ જ કરેલી ક્રિયાથી સુખ માનવું હોય. તથા એક આવો પણ વિકલ્પ છે કે : ““મનોવવનવા '' મનથી ચિંતવવું, વચનથી બોલવું, કાયાથી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com