________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
नैतस्याहमस्मि ममाहमस्म्येतस्यैतदस्ति, न ममैतत्पूर्वमासीन्नैतस्याहं पूर्वमासं ममाहं पूर्वमासमे-तस्यैतत्पूर्वमासीत्, न ममैतत्पुनर्भविष्यति नैतस्याहं पुनर्भविष्यामि ममाहं पुनर्भविष्याम्येतस्यै-तत्पुनर्भविष्यतीति प्रतिबुद्धलक्षणस्य भावात्।
स्वद्रव्य एव
सद्भूतात्मविकल्पस्य
(માલિની)
त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढं रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत् ।
इह कथमपि नात्मानात्मना साकमेकः
किल कलयति काले कापि तादात्म्यवृत्तिम् ।। २२ ।।
૫૭
તે પદ્રવ્ય જ છે; મારું આ પરદ્રવ્ય નથી, આ પદ્રવ્યનો હું નથી, –મારો જ હું છું, પરદ્રવ્યનું પરદ્રવ્ય છે; આ પરદ્રવ્ય મારું પહેલાં હતું નહિ, આ પરદ્રવ્યનો હું પહેલાં હતો નહિ, –મારો હું જ પહેલાં હતો, પરદ્રવ્યનું પદ્રવ્ય પહેલાં હતું; આ પરદ્રવ્ય મારું ભવિષ્યમાં થશે નહિ, એનો હું ભવિષ્યમાં થઈશ નહિ, −હું મારો જ ભવિષ્યમાં થઈશ, આ (પરદ્રવ્ય ) નું આ (પદ્રવ્ય ) ભવિષ્યમાં થશે.”-આવો જે સ્વદ્રવ્યમાં જ સત્યાર્થ આત્મવિકલ્પ થાય છે તે જ પ્રતિબુદ્ધનું લક્ષણ છે, તેનાથી તે ઓળખાય છે.
ભાવાર્થ:- જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે તે તો અજ્ઞાની છે અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે-એમ અગ્નિ-ઇન્ધનના દષ્ટાંત દ્વારા દઢ કર્યું છે.
હવે આ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [ખાત્] જગત અર્થાત્ જગતના જીવો [આનન્મતીઢ મોહમ્] અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને [ફવાની ત્યખતુ] હવે તો છોડો અને [રસિાનાં રોષનં] રસિક જનોને રુચિકર, [ ઉઘત્ જ્ઞાનન્] ઉદય થઈ રહેલું જે જ્ઞાન તેને [ રસયતુ] આસ્વાદો; કારણ કે [૪] આ લોકમાં [ આત્મા] આત્મા છે તે [તિ] ખરેખર [થમ્ અપિ] કોઈ પ્રકારે [અનાત્મના સામ્] અનાત્મા (૫૨દ્રવ્ય ) સાથે [” અપિ વ્હાને] કોઈ કાળે પણ [તાવાત્સ્યવૃત્તિન્નયતિ ન] તાદાત્મ્યવૃત્તિ (એકપણું ) પામતો નથી, કેમ કે [yō: ] આત્મા એક છે તે અન્ય દ્રવ્ય સાથે એક્તારૂપ
થતો નથી.
ભાવાર્થ:- આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને પામતો નથી. એ રીતે આચાર્ય, અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com