________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
४८
जह णाम को वि पुरिसो रायाणं जाणिऊण सद्दहदि। तो तं अणुचरदि पुणो अत्थत्थीओ पयत्तेण।। १७ ।। एवं हि जीवराया णादव्यो तह य सद्दहेदव्यो। अणुचरिदव्यो य पुणो सो चेव दु मोक्खकामेण।। १८ ।।
यथा नाम कोऽपि पुरुषो राजानं ज्ञात्वा श्रद्दधाति। ततस्तमनुचरति पुनरर्थार्थिकः प्रयत्नेन।।१७ ।। एवं हि जीवराजो ज्ञातव्यस्तथैव श्रद्धातव्यः। अनुचरितव्यश्च पुनः स चैव तु मोक्षकामेन।। १८ ।।
ચિંતાથી તો બસ થાઓ. [સાધ્યસિદ્ધિ:] સાધ્ય આત્માની સિદ્ધિ તો [ રન-જ્ઞાનવારિત્ર:] દર્શન, જ્ઞાન ને ચારિત્ર-એ ત્રણ ભાવોથી જ છે, [ ન વ ન્યથા] બીજી રીતે નથી (એ નિયમ છે).
ભાવાર્થ:- આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી, પરંતુ દર્શન અર્થાત શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા-તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષમાર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
વ્યવહારી લોકો પર્યાયમાં-ભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી સમજાવ્યું છે. ૧૯.
હવે, આ જ પ્રયોજનને બે ગાથાઓમાં દષ્ટાંતથી કહે છે:
જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે, પછી યત્નથી ધન-અર્થી એ અનુચરણ નૃપતિનું કરે; ૧૭.
જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે, એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮.
ગાથાર્થઃ- [ Fથા નામ] જેમ [ 5: પિ] કોઈ [કર્યાર્થિવ: પુરુષ:] ધનનો અર્થી પુરુષ [રીની ] રાજાને [ જ્ઞાત્વા] જાણીને [શ્રદ્ધાતિ] શ્રદ્ધા કરે છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com