SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] પૂર્વરંગ भूदत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च । आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मत्तं ।। १३ ।। भूतार्थेनाभिगता जीवाजीवौ च पुण्यपापं च । आस्रवसंवरनिर्जरा बन्धो मोक्षश्च सम्यक्त्वम् ।। १३ ।। ૩૧ नवतत्त्वेष्वेकत्वद्योतिना भूतार्थनयेनैकत्वमुपानीय अमूनि हि जीवादीनि नवतत्त्वानि भूतार्थेनाभिगतानि सम्यग्दर्शनं सम्पद्यन्त एव, अमीषु तीर्थप्रवृत्तिनिमित्तमभूतार्थनयेन व्यपदिश्यमानेषु जीवाजीवपुण्यपापास्रवसंवरनिर्जराबन्धमोक्षलक्षणेषु शुद्धनयत्वेन व्यवस्थापितस्यात्मनोऽनुभूतेरात्मख्यातिलक्षणायाः सम्पद्यमानत्वात्। तत्र विकार्यविकारकोभयं पुण्यं तथा पापम्, आस्राव्यास्रावकोभयमास्रवः, संवार्यसंवारकोभयं संवरः, निर्जर्यनिर्जरकोभयं निर्जरा, बन्ध्यबन्धकोभयं बन्धः, मोच्यमोचकोभयं मोक्षः, એ પ્રમાણે જ શુદ્ઘનયથી જાણવું તે સમ્યક્ત્વ છે એમ સૂત્રકાર ગાથામાં કહે છેઃ ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય, પાપ ને આસવ, સંવ૨, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે. ૧૩. ગાથાર્થ:- [ભૂતાર્થન અમિાતા: ] ભૂતાર્થ નયથી જાણેલ [ીવાનીવા] જીવ, અજીવ [7 ] વળી [ પુણ્યવાનં] પુણ્ય, પાપ [7] તથા [પ્રવસંવનિર્ઝરા: ] આસ્રવ, સંવર, નિર્જરા, [ વન્ધ: ] બંધ [7] અને [ મોક્ષ: ] મોક્ષ [ સમ્યવત્ત્વમ્] –એ નવ તત્ત્વ સમ્યક્ત્વ છે. ટીકા:- આ જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે (-એ નિયમ કહ્યો ); કારણ કે તીર્થની (વ્યવહારધર્મની) પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ (વ્યવહાર) નયથી કહેવામાં આવે છે એવાં આ નવ તત્ત્વો-જેમનાં લક્ષણ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ છે–તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થનયથી એકપણું પ્રાપ્ત કરી, શુદ્ઘનયપણે સ્થપાયેલા આત્માની અનુભૂતિ -કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે-તેની પ્રાપ્તિ હોય છે. (શુદ્ઘનયથી નવતત્ત્વને જાણવાથી આત્માની અનુભૂતિ થાય છે તે હેતુથી આ નિયમ હ્યો.) ત્યાં, વિકારી થવા યોગ્ય અને વિકાર ક૨ના૨-એ બન્ને પુણ્ય છે, તેમ જ એ બન્ને પાપ છે, આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનાર-એ બન્ને આસ્રવ છે, સંવરરૂપ થવા યોગ્ય (સંવાર્ય) અને સંવર કરનાર (સંવારક) –એ બન્ને સંવર છે, નિર્જરવા યોગ્ય અને નિર્જરા ક૨ના૨-એ બન્ને નિર્જરા છે, બંધાવા યોગ્ય અને બંધન કરનાર-એ બન્ને બંધ છે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy