________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરિશિષ્ટ
(શાર્દૂનવિક્રીડિત) प्रत्यक्षालिखितस्फुटस्थिरपरद्रव्यास्तितावञ्चितः स्वद्रव्यानवलोकनेन परितः शून्यः पशुर्नश्यति । स्वद्रव्यास्तितया निरूप्य निपुणं सद्यः समुन्मज्जता स्याद्वादी तु विशुद्धबोधमहसा पूर्णो भवन् जीवति ।। २५२ ।।
(શાર્દૂનવિદ્રીડિત) सर्वद्रव्यमयं प्रपद्य पुरुषं दुर्वासनावासितः स्वद्रव्यभ्रमतः पशुः किल परद्रव्येषु विश्राम्यति। स्याद्वादी तु समस्तवस्तुषु परद्रव्यात्मना नास्तितां जानन्निर्मलशुद्धबोधमहिमा स्वद्रव्यमेवाश्रयेत् ।। २५३ ।।
૬૦૧
શ્લોકાર્થ:- [ પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ પ્રત્યક્ષઞાતિવિત-ટ-સ્થિર-પરદ્રવ્ય-અસ્તિતા—વચિત: ] પ્રત્યક્ષ *આલિખિત એવાં પ્રગટ ( -સ્થૂલ ) અને સ્થિર ( નિશ્ચળ ) ૫૨દ્રવ્યોના અસ્તિત્વથી ઠગાયો થકો, [ સ્વદ્રવ્યઅનવતોનેન પરિત: શૂન્ય: ] સ્વદ્રવ્યને ( –આત્મદ્રવ્યના અસ્તિત્વને ) નહિ દેખતો હોવાથી સમસ્તપણે શૂન્ય થયો થકો [નશ્યતિ] નાશ પામે છે; [ચાલાવી તુ] અને સ્યાદ્દાદી તો, [ સ્વદ્રવ્ય—અસ્તિતયા નિપુણં નિરૂપ્ય] આત્માને સ્વદ્રવ્યરૂપે અસ્તિપણે નિપુણ રીતે અવલોક્કો હોવાથી, [સઘ: સમુન્નખ્તતા વિશુદ્ધ-વોધ–મહસા પૂર્ણ: ભવન્] તત્કાળ પ્રગટ થતા વિશુદ્ધ જ્ઞાનપ્રકાશ વડે પૂર્ણ થતો થકો [નીવતિ] જીવે છે-નાશ પામતો નથી.
ભાવાર્થ:-એકાંતી બાહ્ય પરદ્રવ્યને પ્રત્યક્ષ દેખી તેનું અસ્તિત્વ માને છે, પરંતુ પોતાના આત્મદ્રવ્યને ઇંદ્રિયપ્રત્યક્ષ નહિ દેખતો હોવાથી તેને શૂન્ય માની આત્માનો નાશ કરે છે. સ્યાદ્વાદી તો જ્ઞાનરૂપી તેજથી પોતાના આત્માનું સ્વદ્રવ્યથી અસ્તિત્વ અવલોક્તો હોવાથી જીવે છે-પોતાનો નાશ કરતો નથી.
આ પ્રમાણે સ્વદ્રવ્ય-અપેક્ષાથી અસ્તિત્વનો (–સણાનો ) ભંગ કહ્યો. ૨૫૨. (હવે છઠ્ઠા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થ:- [ પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [દુર્વાસનાવાસિત: ] દુર્વાસનાથી ( –કુનયની વાસનાથી ) વાસિત થયો થકો, [ પુરુષ સર્વદ્રવ્યમય પ્રપદ્ય] આત્માને સર્વદ્રવ્યમય માનીને, [ સ્વદ્રવ્ય-ભ્રમત: પરદ્રવ્યેવુ હિત વિશ્રામ્યતિ]
* આલિખિત આળેખાયેલાં; ચિત્રિત; સ્પર્શાતાં; જણાતાં.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com