________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૫૮૧
यत एवम्
तम्हा जहित्तु लिंगे सागारणगारए हे वा गहिदे। दंसणणाणचरित्ते अप्पाणं मुंज मोक्खपहे।। ४११ ।।
तस्मात् जहित्वा लिङ्गानि सागारैरनगारकैर्वा गृहीतानि।
दर्शनज्ञानचारित्रे आत्मानं युक्ष्व मोक्षपथे।। ४११ ।। यतो द्रव्यलिङ्गं न मोक्षमार्गः, ततः समस्तमपि द्रव्यलिङ्गं त्यक्त्वा दर्शनज्ञानचारित्रेष्वेव , मोक्षमार्गत्वात् , आत्मा योक्तव्य इति सूत्रानुमतिः।।
ભાવાર્થ:-મોક્ષ છે તે સર્વ કર્મના અભાવરૂપ આત્મપરિણામ (-આત્માના પરિણામ) છે, માટે તેનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. દર્શન-જ્ઞાનચારિત્ર આત્માના પરિણામ છે; માટે નિશ્ચયથી તે જ મોક્ષનો માર્ગ છે.
લિંગ છે તે દેહમય છે; દેહ છે તે પુદગલદ્રવ્યમય છે; માટે આત્માને દેહ મોક્ષનો માર્ગ નથી. પરમાર્થે અન્ય દ્રવ્યને અન્ય દ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે.
જો આમ છે (અર્થાત્ જો દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શનજ્ઞાનચારિત્ર જ મોક્ષમાર્ગ છે ) તો આમ (નીચે પ્રમાણે ) કરવું-એમ હવે ઉપદેશ કરે છે:
તેથી તજી સાગાર કે અણગાર-ધારિત લિંગને, ચારિત્ર-દર્શન-શાનમાં તું જોડ રે!નિજ આત્મને. ૪૧૧.
ગાથાર્થઃ- [ તમાત] માટે [ સા રે ] સાગારો વડે (-ગૃહસ્થો વડે) [અન TIR: વા] અથવા અણગારો વડે (-મુનિઓ વડે) [ ગૃહીતાનિ] ગ્રહાયેલાં [તિનિ] લિંગોને [ નહિ–ા ] છોડીને, [૨નજ્ઞાનવારિત્ર] દર્શનજ્ઞાનચારિત્રમાં[ મોક્ષપથે] કે જે મોક્ષમાર્ગ છે તેમાં [ઝાત્માનં ચુંક્ય ] તે આત્માને જોડ.
ટીકા-કારણ કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, તેથી સમસ્ત દ્રવ્યલિંગને છોડીને દર્શનજ્ઞાનચારિત્રમાં જ, તે (દર્શનજ્ઞાનચારિત્ર) મોક્ષમાર્ગ હોવાથી, આત્માને જોડવાયોગ્ય છે-એમ સૂત્રની અનુમતિ છે.
ભાવાર્થ-અહીં દ્રવ્યલિંગને છોડી આત્માને દર્શનજ્ઞાનચારિત્રમાં જોડવાનું વચન છે તે સામાન્ય પરમાર્થ વચન છે. કોઈ સમજશે કે મુનિ-શ્રાવકનાં વ્રતો છોડાવવાનો ઉપદેશ છે. પરંતુ એમ નથી. જેઓ કેવળ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ જાણી ભેખ ધારણ કરે છે, તેમને દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવા ઉપદેશ કર્યો છે કે-ભેખમાત્રથી
૫૮૨
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com