________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
૪૭૧
ये त्वात्मानं कर्तारमेव पश्यन्ति ते लोकोत्तरिका अपि न लौकिकतामतिवर्तन्ते; लौकिकानां परमात्मा विष्णु: सुरनारकादिकार्याणि करोति, तेषां तु स्वात्मा तानि करोतीत्यपसिद्धान्तस्य समत्वात्। ततस्तेषामात्मनो नित्यकर्तृत्वाभ्युपगमात् लौकिकानामिव लोकोत्तरिकाणामपि नास्ति मोक्षः।
(૩મનુષ્ટ્રમ) नास्ति सर्वोऽपि सम्बन्धः परद्रव्यात्मतत्त्वयोः। कर्तृकर्मत्वसम्बन्धाभावे तत्कर्तृता कुतः।। २०० ।।
]િ શ્રમણોના મતમાં પણ [માત્મા] આત્મા [ રોતિ] કરે છે (તેથી કર્તાપણાની માન્યતામાં બન્ને સમાન થયા). [gd] એ રીતે, [સવેવમનુનાસુરન નોઝાન] દેવ, મનુષ્ય અને અસુરવાળા ત્રણે લોકને [ નિત્ય કર્વતાં ] સદાય કરતા (અર્થાત્ ત્રણે લોકના કર્તાભાવે નિરંતર પ્રવર્તતા) એવા [નોથમણાનાં કષાત્ uિ] તે લોક તેમ જ શ્રમણ-બન્નેનો [ 5: પિ મોક્ષ:] કોઈ મોક્ષ [ન દશ્યતે] દેખાતો નથી.
ટીકાઃ-જેઓ આત્માને કર્તા જ દેખે છે-માને છે, તેઓ લોકોત્તર હોય તોપણ લૌકિકતાને અતિક્રમતા નથી; કારણ કે, લૌકિક જનોના મતમાં પરમાત્મા વિષ્ણુ દેવનારકાદિ કાર્યો કરે છે, અને તેમના (-લોકથી બાહ્ય થયેલા એવા મુનિઓના) મતમાં પોતાનો આત્મા તે કાર્યો કરે છે એમ *અપસિદ્ધાંતની (બન્નેને) સમાનતા છે. માટે આત્માના નિત્ય કર્તાપણાની તેમની માન્યતાને લીધે, લૌકિક જનોની માફક, લોકોત્તર પુરુષોનો (મુનિઓનો) પણ મોક્ષ થતો નથી.
ભાવાર્થ-જેઓ આત્માને કર્તા માને છે, તેઓ ભલે મુનિ થયા હોય તોપણ લૌકિક જન જેવા જ છે; કારણ કે, લોક ઈશ્વરને કર્તા માને છે અને તે મુનિઓએ આત્માને કર્તા માન્યો-એમ બન્નેની માન્યતા સમાન થઈ. માટે જેમ લૌકિક જનોને મોક્ષ નથી, તેમ તે મુનિઓને પણ મોક્ષ નથી. જે કર્તા થશે તે કાર્યના ફળને ભોગવશે જ, અને જે ફળ ભોગવશે તેને મોક્ષ કેવો?
હવે, “પદ્રવ્યને અને આત્માને કાંઈ પણ સંબંધ નથી, માટે કર્તાકર્મસંબંધ પણ નથી—એમ શ્લોકમાં કહે છે:
શ્લોકાર્થ:- [ પરદ્રવ્ય–આત્મતત્ત્વયો: સર્વ: મfપ સરૂન્ય: નાસ્તિ] પરદ્રવ્યને અને આત્મતત્ત્વને સઘળોય (અર્થાત્ કાંઈ પણ) સંબંધ નથી; [ વર્તુ–મૃત્વસન્વન્ધ– 31માવે] એમ કર્તાકર્મપણાના સંબંધનો અભાવ હોતાં, [ તન્દુર્રાતા વત: ] આત્માને પદ્રવ્યનું કર્તાપણું ક્યાંથી હોય?
* અપસિદ્ધાંત = ખોટો અથવા ભૂલભરેલો સિદ્ધાંત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com