________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
FFFFFFFFFFFFFFFFFFF
-૯જ્ઞાન અધિકાર
555
4141414141414141414156441451461441451461
अथ प्रविशतिः सर्वविशुद्धज्ञानम्।
(મન્ત્રાન્તા) नीत्वा सम्यक् प्रलयमखिलान कर्तृभोक्त्रादिभावान दूरीभूतः प्रतिपदमयं बन्धमोक्षप्रक्लप्तेः। शुद्धः शुद्धः स्वरसविसरापूर्णपूण्याचलार्चिष्टकोत्कीर्णप्रकटमहिमा स्फूर्जति ज्ञानपुञ्जः।। १९३ ।।
સર્વવિશુદ્ધ સુજ્ઞાનમય, સદા આતમારામ; પરને કરે ન ભોગવે, જાણે જપિ તસુ નામ.
પ્રથમ ટીકાકાર આચાર્યદેવ કહે છે કે “હવે સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે'.
મોક્ષતત્ત્વનો સ્વાંગ નીકળી ગયા પછી સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે. રંગભૂમિમાં જીવ-અજીવ, કર્તાકર્મ, પુણ્ય-પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ-એ આઠ સ્વાંગ આવ્યા, તેમનું નૃત્ય થયું અને પોતપોતાનું સ્વરૂપ બતાવી તેઓ નીકળી ગયા. હવે સર્વ સ્વાંગો દૂર થયે એકાકાર સર્વવિશુદ્ધજ્ઞાન પ્રવેશ કરે છે.
ત્યાં પ્રથમ જ, મંગળરૂપે જ્ઞાનકુંજ આત્માના મહિમાનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [ વિનીન ર્ર–મો$–ાઃિ–માવાન સભ્ય પ્રતયમ્ નીત્વા ] સમસ્ત કર્તા-ભોક્તા આદિ ભાવોને સમ્યક પ્રકારે નાશ પમાડીને [પ્રતિપમ] પદે પદે (અર્થાત્ કર્મના ક્ષયોપશમના નિમિત્તથી થતા દરેક પર્યાયમાં) [વન્થ–મોક્ષ—પ્રવક્ટપ્સ: તૂરીમૂત:] બંધ-મોક્ષની રચનાથી દૂર વર્તતો, [ શુદ્ધ: શુદ્ધ:] શુદ્ધ-શુદ્ધ (અર્થાત્ જે રાગાદિક મળ તેમ જ આવરણ-બન્નેથી રહિત છે એવો), [સ્વર–વિસર–ગાપૂf– પુષ્ય– –ર્વિ:] જેનું પવિત્ર અચળ તેજ નિજરસના (-જ્ઞાનરસના, જ્ઞાનચેતનારૂપી રસના) ફેલાવથી ભરપૂર છે એવો, અને [ટો –પ્રત-મહિમા ] જેનો મહિમા ટંકોત્કીર્ણ પ્રગટ છે એવો [માં જ્ઞાનપુજ્ઞ: ટૂર્નતિ] આ જ્ઞાનકુંજ આત્મા પ્રગટ થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com