________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
મોક્ષ અધિકારી
૪૨૭
यथा बन्धांश्चिन्तयन् बन्धनबद्धो न प्राप्नोति विमोक्षम्। तथा बन्धांश्चिन्तयन् जीवोऽपि न प्राप्नोति विमोक्षम्।। २९१ ।।
बन्धचिन्ताप्रबन्धो मोक्षहेतुरित्यन्ये, तदप्यसत; न कर्मबद्धस्य बन्धचिन्ताप्रबन्धो मोक्षहेतुः, अहेतुत्वात्, निगडादिबद्धस्य बन्धचिन्ताप्रबन्धवत्। एतेन कर्मबन्धविषयचिन्ताप्रबन्धात्मकविशुद्धधर्मध्यानान्धबुद्धयो बोध्यन्ते।
कस्तर्हि मोक्षहेतुरिति चेत्जह बंधे छेत्तूण य बंधणबद्धो दु पावदि विमोक्खं। तह बंधे छेत्तूण य जीवो संपावदि विमोक्खं ।। २९२ ।।
ગાથાર્થ:- [ યથા] જેમ [વનવઠ્ઠ:] બંધનથી બંધાયેલો પુરુષ [વસ્થાન ચિન્તયન] બંધોના વિચાર કરવાથી [ વિમોક્ષમ્ ન પ્રાપ્નોતિ] મોક્ષ પામતો નથી (અર્થાત્ બંધથી છૂટતો નથી), [તથા] તેમ [નીવ: uિ] જીવ પણ [વન્ધન વિજોયન] બંધોના વિચાર કરવાથી [ વિમોક્ષમ્ પ્રાપ્નોતિ] મોક્ષ પામતો નથી.
ટીકા-બંધ સંબંધી વિચારશૃંખલા મોક્ષનું કારણ છે” એમ બીજા કેટલાક કહે છે, તે પણ અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને તે બંધ સંબંધી વિચારશૃંખલા (-વિચારની પરંપરા) બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધ સંબંધી વિચારશૃંખલા કમૃબંધથી છૂટવાનું કારણ નથી. આથી (-આ કથનથી), કર્મબંધ સંબંધી વિચારશૃંખલાત્મક વિશુદ્ધ (–શુભ) ધર્મધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે તેમને સમજાવવામાં આવે છે.
ભાવાર્થ-કર્મબંધની ચિંતામાં મન લાગ્યું રહે તોપણ મોક્ષ થતો નથી. એ તો ધર્મધ્યાનરૂપ શુભ પરિણામ છે. જેઓ કેવળ શુભ પરિણામથી જ મોક્ષ માને છે તેમને અહીં ઉપદેશ છે કે-શુભ પરિણામથી મોક્ષ થતો નથી.
“ (જો બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી પણ મોક્ષ નથી અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી) તો મોક્ષનું કારણ કયું છે?” એમ પૂછવામાં આવતાં હવે મોક્ષનો ઉપાય કહે છે:
બંધન મહીં જે બદ્ધ તે નર બંધછેદનથી છૂટે, ત્યમ જીવ પણ બંધો તણું છેદન કરી મુક્તિ લહે. ૨૯૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com