________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૨
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
(મુન્દ્રાક્રાન્તા) रागादीनामुदयमदयं दारयत्कारणानां कार्य बन्धं विविधमधुना सद्य एव प्रणुद्य। ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेतत् तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति।।१७९ ।।
પણું ) [ ઝાલો૦] વિચારીને, [ત-મૂતાં મામ્ વઘુમાંવરસન્નતિમ્ સમર્ ઉદ્ધત્on:] પદ્રવ્ય જેનું મૂળ છે એવી આ બહુ ભાવોની સંતતિને એકીસાથે ઉખેડી નાખવાને ઈચ્છતો, પુરુષ, [તત હિત સમગ્રં પદ્રવ્ય વતી વિવેવ્ય] તે સમસ્ત પરદ્રવ્યને બળથી (–ઉધમથી, પરાક્રમથી) ભિન્ન કરીને (ત્યાગીને), [ નિર્મરવપૂર્ણ––સંવિ-યુક્ત માત્માનં] અતિશયપણે વહેતું (-ધારાવાહી) જે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત એવા પોતાના આત્માને [સમુપૈતિ] પામે છે, [યેન] કે જેથી [૩ન્યૂતિતવશ્વ: ૫: માવાન માત્મા] જેણે કર્મબંધનને મૂળથી ઉખેડી નાખ્યું છે એવો આ ભગવાન આત્મા [ આત્મનિ] પોતામાં જ (-આત્મામાં જ ) [ ટૂર્નતિ] સ્કુરાયમાન થાય છે.
ભાવાર્થ:-પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું જાણી સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરવામાં-ત્યાગવામાં આવે ત્યારે સમસ્ત રાગાદિભાવોની સંતતિ કપાઈ જાય છે અને ત્યારે આત્મા પોતાનો જ અનુભવ કરતો થકો કર્મના બંધનને કાપી પોતામાં જ પ્રકાશે છે. માટે જે પોતાનું હિત ચાહે છે તે એવું કરો. ૧૭૮.
હવે બંધ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે જ્ઞાનના મહિમાના અર્થનું કળશકાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [વારનાં રવીનાન્ ૩યં] બંધના કારણરૂપ જે રાગાદિક (રાગાદિકભાવો) તેમના ઉદયને [ નવયમ] નિર્દય રીતે (અર્થાત્ ઉગ્ર પુરુષાર્થથી) [વીરયત્] વિદારતી થકી, [વાર્ય વિવિધન વધું] તે રાગાદિકના કાર્યરૂપ (જ્ઞાનાવરણાદિ) અનેક પ્રકારના બંધને [ગધુના] હમણાં [સ: ga] તત્કાળ જ [પ્રy] દૂર કરીને, [તત્ જ્ઞાન જ્યોતિ:] આ જ્ઞાનજ્યોતિ [ ક્ષવિતતિમિરં] કે જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે તે- [ સાધુ] સારી રીતે [ સનદ્ધમ] સજ્જ થઈ, - [ ત–વત ય–વત] એવી રીતે સજ્જ થઈ કે [ સર્ચ પ્રસરમ્ અપર: : મ9િ ન નવૃતિ] તેના ફેલાવને બીજાં કોઈ આવરી શકે નહિ.
ભાવાર્થ-જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે, રાગાદિક રહેતા નથી, તેમનું કાર્ય જે બંધ તે પણ રહેતો નથી, ત્યારે પછી તેને (-જ્ઞાનને) આવરણ કરનારું કોઈ રહેતું નથી, તે સદાય પ્રકાશમાન જ રહે છે. ૧૭૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com