________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૨
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
एवमलीकेऽदत्तेऽब्रह्मचर्ये परिग्रहे चैव। क्रियतेऽध्यवसानं यत्तेन तु बध्यते पापम्।। २६३ ।। तथापि च सत्ये दत्ते ब्रह्मणि अपरिग्रहत्वे चैव। क्रियतेऽध्यवसानं यत्तेन तु बध्यते पुण्यम्।। २६४ ।।
एवमयमज्ञानात् यो यथा हिंसायां विधीयतेऽध्यवसायः, तथा असत्यादत्ताब्रह्मपरिग्रहेषु यश्च विधीयते स सर्वोऽपि केवल एव पापबन्धहेतुः। यस्तु अहिंसायां यथा विधीयते अध्यवसायः, तथा यश्च सत्यदत्तब्रह्मापरिग्रहेषु विधीयते स सर्वोऽपि केवल एव पुण्यबन्धहेतुः।
ગાથાર્થઃ- [વસ્] એ રીતે (અર્થાત્ પૂર્વે હિંસાના અધ્યવસાય વિષે કહ્યું તેમ) [બનીછે] અસત્યમાં, [ નવજો] અદત્તમાં, [બ્રહ્મચર્યે ] અબ્રહ્મચર્યમાં [ a ] અને [પરિપ્રદે] પરિગ્રહમાં [ યત ] જે [અધ્યવસાન] અધ્યવસાન [ પ્રિયતે] કરવામાં આવે [તેન તુ] તેનાથી [પાપં વધ્યતે] પાપનો બંધ થાય છે; [ તથાપિ ] અને તેવી જ રીતે [ સત્યે] સત્યમાં, [ રેં] દત્તમાં, [ બ્રહ્મળિ] બ્રહ્મચર્યમાં [a va] અને [અપરિગ્રહન્દુ] અપરિગ્રહમાં [] જે [ અધ્યવસા ] અધ્યવસાન [ પ્રિયતે ] કરવામાં આવે [તેન તુ] તેનાથી [પુર્વે વધ્યતે] પુણ્યનો બંધ થાય છે.
ટીકાઃ-એ રીતે (–પૂર્વોકત રીતે) અજ્ઞાનથી આ જે હિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં પણ જે (અધ્યવસાય) કરવામાં આવે, તે બધોય પાપના બંધનું એકમાત્ર (–એકનું એક ) કારણ છે; અને જે અહિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ જે સત્ય, દત્ત, બહ્મચર્ય અને અપરિગ્રહમાં પણ (અધ્યવસાય) કરવામાં આવે, તે બધોય પુણ્યના બંધનું એકમાત્ર કારણ છે.
ભાવાર્થ-જેમ હિંસામાં અધ્યવસાય તે પાપબંધનું કારણ કહ્યું છે તેમ અસત્ય, અદત્ત (વગર દીધેલું લેવું તે, ચોરી), અબ્રહ્મચર્ય અને પરિગ્રહ-તેમનામાં અધ્યવસાય તે પણ પાપબંધનું કારણ છે. વળી જેમ અહિંસામાં અધ્યવસાય તે પુણ્યબંધનું કારણ છે તેમ સત્ય, દત્ત (–દીધેલું લેવું તે), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ–તેમનામાં અધ્યવસાય તે પણ પુણ્યબંધનું કારણ છે. આ રીતે, પાંચ પાપોમાં (અવ્રતોમાં) અધ્યવસાય કરવામાં આવે તે પાપબંધનું કારણ છે અને પાંચ (એકદેશ કે સર્વદશ) વ્રતોમાં અધ્યવસાય કરવામાં આવે તે પુણ્યબંધનું કારણ છે. પાપ અને પુણ્ય બન્નેના બંધનમાં, અધ્યવસાય જ એક માત્ર બંધ-કારણ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com