________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નિર્જરા અધિકાર
૩૬૩
विज्जारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा। सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेदव्वो।। २३६ ।। विद्यारथमारूढः मनोरथपथेषु भ्रमति यश्चेतयिता।
स जिनज्ञानप्रभावी सम्यग्दृष्टितिव्यः ।। २३६ ।। यतो हि सम्यग्दृष्टिः, टङ्कोत्कीर्णेकज्ञायकभावमयत्वेन ज्ञानस्य समस्तशक्तिप्रबोधेन प्रभावजननात्प्रभावनाकरः, ततोऽस्य ज्ञानप्रभावनाऽप्रकर्षकृतो नास्ति बन्धः, किन्तु निर्जरैव।
હવે પ્રભાવના ગુણની ગાથા કહે છે
ચિમૂર્તિ મન-૨થપંથમાં વિધારથારૂઢ ઘૂમતો, તે જિનશાનપ્રભાવકર સમકિતદષ્ટિ જાણવો. ૨૩૬.
ગાથાર્થઃ- [ 4: વેતપિતા] જે ચેતયિતા [ વિદ્યારથ” મારૂઢ:] વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો (–ચડ્યો થકો) [ મનોરથuથેy] મનરૂપી રથ-પંથમાં (અર્થાત જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં) [ શ્રમતિ] ભ્રમણ કરે છે, [ :] તે [ નિનજ્ઞાનપ્રભાવી] જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો [ સભ્યD: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય:] જાણવો.
ટીકા-કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા-વિકસાવવા-ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી, પ્રભાવના કરનાર છે, તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી (અર્થાત્ જ્ઞાનની પ્રભાવના નહિ વધારવાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ-પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉઘાત કરવો વગેરે માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે–વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે. તેને અપ્રભાવનાકૃત કર્મબંધ નથી, કર્મ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ છે.
આ ગાથામાં નિશ્ચયપ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જિનબિંબને રથમાં સ્થાપીને નગર, વન વગેરેમાં ફેરવી વ્યવહારપ્રભાવના કરવામાં આવે છે, તેમ જે વિદ્યારૂપી (જ્ઞાનરૂપી) રથમાં આત્માને સ્થાપી મનરૂપી (જ્ઞાનરૂપી) માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દષ્ટિ છે, તે નિશ્ચયપ્રભાવના કરનાર છે.
આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને નિઃશંકિત આદિ આઠ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com