SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્વવિક્રીડિત) कर्तारं स्वफलेन यत्किल बलात्कमैव नो योजयेत् कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः। ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा । कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः।। १५२ ।। ભોગવું છું', [ત વિરું તે છાવીર: સ્તિ] તો શું તને ભોગવવાની ઇચ્છા છે? [ જ્ઞાન સન વરસ ] જ્ઞાનરૂપ થઈને વસ (શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર), [પરથી ] નહિ તો (અર્થાત્ જો ભોગવવાની ઇચ્છા કરીશ-અજ્ઞાનરૂપે પરિણમીશ તો ) [ ધ્રુવમ્ સ્વસ્થ ઉપ૨Tધાત્ વન્ય પs] તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ. ભાવાર્થ-જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી. જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો એ યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે, અન્યાયી કહેવામાં આવે છે. વળી ઉપભોગથી બંધ કહ્યો નથી તે તો, જ્ઞાની ઇચ્છા વિના પરની બળજોરીથી ઉદયમાં આવેલાને ભોગવે ત્યાં તેને બંધ કહ્યો નથી. જે પોતે ઇચ્છાથી ભોગવે તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય? ૧૫૧. હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે: શ્લોકાર્થ:- [ યત વિઝન ફર્મ ઈવ વર્તાર સ્વજોન વનીતુ નો યોનયેત ] કર્મ જ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજરીથી જોડતું નથી કે તું મારા ફળને ભોગવ), [ p7તિનું પર્વ હિ ર્વાન: : વત્ છન્ન પ્રાપ્નોતિ] *ફળની ઇચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે; [ જ્ઞાન સન] માટે જ્ઞાનરૂપે રહેતો અને [તપાસ્તરાIRવન:] જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે એવો [ મુનિ:] મુનિ, [ ત– ન–પરિત્યા––શીન:] કર્મના ફળના પરિત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે એવો હોવાથી, [કર્મ : પિ દિ] કર્મ કરતો છતો પણ [ નો વધ્યતે] કર્મથી બંધાતો નથી. ભાવાર્થ-કર્મ તો કર્તાને જબરદસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી પરંતુ જે કર્મને કરતો થકો તેના ફળની ઈચ્છા કરે તે જ તેનું ફળ પામે છે. માટે જે જ્ઞાનરૂપે વર્તે છે અને રાગ વિના કર્મ કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી કારણ કે તેને કર્મના ફળની ઇચ્છા નથી. ૧૫ર. * કર્મનું ફળ એટલે (૧) રંજિત પરિણામ, અથવા તો (૨) સુખ (–રંજિત પરિણામ) ઉત્પન્ન કરનારા આગામી ભોગો Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy