________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૬
સમયસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
अथ रागाद्यसङ्कीर्णभावसम्भवं दर्शयतिपक्के फलम्हि पडिए जह ण फलं बज्झए पुणो विंटे। जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेदि।। १६८ ।।
पक्वे फले पतिते यथा न फलं बध्यते पुनर्वृन्तैः।
जीवस्य कर्मभावे पतिते न पुनरुदयमुपैति।।१६८ ।।
यथा खलु पक्वं फलं वृन्तात्सकृतिश्लिष्टं: सत् न पुनर्वृन्तसम्बन्धमुपैति, तथा कर्मोदयजो भावो जीवभावात्सकृतिश्लिष्टःसन् न पुनर्जीवभावमुपैति। एवं ज्ञानमयो रागाद्यसङ्कीर्णो भावः सम्भवति।
ભાવાર્થ -રાગાદિક સાથે મળેલો અજ્ઞાનમય ભાવ જ બંધનો કરનાર છે, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ બંધનો કરનાર નથી-એ નિયમ છે.
હવે રાગાદિ સાથે નહિ મળેલા ભાવની ઉત્પત્તિ બતાવે છે:
ફળ પકવ ખરતાં, વૃત સહ સંબંધ ફરી પામે નહીં, ત્યમ કર્મભાવ ખર્ચે, ફરી જીવમાં ઉદય પામે નહીં. ૧૬૮.
ગાથાર્થ: યથા] જેમ [પૂવવે ને] પાકું ફળ [પતિતે] ખરી પડતાં [પુન:] ફરીને [ 7 ] ફળ [વૃન્તઃ] ડીંટા સાથે [ ન વધ્યતે] જોડાતું નથી, તેમ [ નીવસ્ય ] જીવને [ ભાવે] કર્મભાવ [ પતિd] ખરી જતાં ( અર્થાત્ છૂટો થતાં ) [ પુન:] ફરીને [૩યમ્ ન પૈતિ] ઉત્પન્ન થતો નથી (અર્થાત્ જીવ સાથે જોડાતો નથી).
ટીકાઃ-જેમ પાકું ફળ ડીંટાથી એકવાર છૂટું પડયું થયું ફરીને ડીંટા સાથે સંબંધ પામતું નથી, તેમ કર્મના ઉદયથી ઉત્પન્ન થતો ભાવ જીવભાવથી એકવાર છૂટો પડયો થકો ફરીને જીવભાવને પામતો નથી. આ રીતે જ્ઞાનમય એવો, રાગાદિક સાથે નહિ મળેલો ભાવ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ-જો જ્ઞાન એકવાર (અપ્રતિપાતી ભાવે) રાગાદિકથી જાદુ પરિણમે તો ફરીને તે કદી રાગાદિક સાથે ભેળસેળ થઈ જતું નથી. આ રીતે ઉત્પન્ન થયેલો, રાગાદિક સાથે નહિ મળેલો જ્ઞાનમય ભાવ સદાકાળ રહે છે. પછી જીવ અસ્થિરતારૂપે રાગાદિકમાં જોડાય તે નિશ્ચયદષ્ટિમાં જોડાણ છે જ નહિ અને તેને જે અલ્પ બંધ થાય તે પણ નિશ્ચયદષ્ટિમાં બંધ છે જ નહિ, કારણ કે અબદ્ધસ્પષ્ટરૂપે પરિણમન નિરંતર વર્યા જ કરે છે. વળી તેને મિથ્યાત્વની સાથે રહેનારી પ્રકૃતિઓનો બંધ થતો નથી અને અન્ય પ્રકૃતિઓ સામાન્ય સંસારનું કારણ નથી; મૂળથી કપાયેલા વૃક્ષનાં લીલાં પાંદડાં જેવી તે પ્રકૃતિઓ શીધ્ર સુકાવાયોગ્ય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com