________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(શાર્દૂનવિ હિત) मग्नाः कर्मनयावलम्बनपरा ज्ञानं न जानन्ति यन्मग्ना ज्ञाननयैषिणोऽपि यदतिस्वच्छन्दमन्दोद्यमाः। विश्वस्योपरि ते तरन्ति सततं ज्ञानं भवन्तः स्वयं । ये कुर्वन्ति न कर्म जातु न वशं यान्ति प्रमादस्य च।। १११ ।।
શાસ્ત્રમાં કહ્યું છે, તેમના એકઠા રહેવામાં કાંઈ પણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. [ વિખ્ત] પરંતુ [મત્ર ગરિ] અહીં એટલું વિશેષ જાણવું કે આત્મામાં [અવશત: વત્ કર્મ સમુન્નતિ] અવશપણે (-જબરદસ્તીથી) જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે. [ તત્ વાય] તે તો બંધનું કારણ થાય છે, અને [મોક્ષાય ] મોક્ષનું કારણ તો, [કમ્ Pવ પરમ જ્ઞાન રિચત ] જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે– [ સ્વત: વિમુ$] કે જે જ્ઞાન સ્વત:વિમુક્ત છે (અર્થાત્ ત્રણે કાળે પરદ્રવ્ય-ભાવોથી ભિન્ન છે).
ભાવાર્થ-જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દષ્ટિને બે ધારા રહે છેશુભાશુભ કર્મધારા અને જ્ઞાનધારા. તે બન્ને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી. (જેમ મિથ્યાજ્ઞાનને અને સમ્યજ્ઞાનને પરસ્પર વિરોધ છે તેમ કર્મસામાન્યને અને જ્ઞાનને વિરોધ નથી.) તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મ ધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષયકષાયના વિકલ્પો કે વ્રતનિયમના વિકલ્પો-શુદ્ધ સ્વરૂપનો વિચાર સુદ્ધાં-કર્મબંધનું કારણ છે; શુદ્ધ પરિણતિરૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે. ૧૧૦.
હવે કર્મ અને જ્ઞાનનો નિયવિભાગ બતાવે છે:
શ્લોકાર્ધઃ- [વર્ષનયાવનqનપુર: મુન્ના:] કર્મનયના આલંબનમાં તત્પર (અર્થાત્ કર્મનયના પક્ષપાતી) પુરુષો ડુબેલા છે [પત્] કારણ કે [ જ્ઞાનું ન નાનન્તિ] તેઓ જ્ઞાનને જાણતા નથી. [ જ્ઞાનન–ષિન: પિ મના] જ્ઞાનનયના ઇચ્છક (અર્થાત્ પક્ષપાતી) પુરુષો પણ ડુબેલા છે [ ] કારણ કે [તિર્વ9ન્દ્રમન્ત–૩:] તેઓ સ્વચ્છેદથી અતિ મંદ-ઉધમી છે (સ્વરૂપ પ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી, પ્રમાદી છે અને વિષયકષાયમાં વર્તે છે). [ તે વિશ્વસ્ય ઉપર તરત્તિ] તે જીવો વિશ્વના ઉપર તરે છે કે [૨ સ્વયં સતતં જ્ઞાનં ભવન્ત: »ર્મ ન જીર્વત્તિ] જેઓ પોતે નિરંતર જ્ઞાનરૂપ થતા પરિણમતા થકા કર્મ કરતા નથી [] અને [નાતુ પ્રમાર્ચ વશ ન યાન્તિ] ક્યારેય પ્રમાદને વશ પણ થતા નથી (-સ્વરૂપમાં ઉધમી રહે છે ).
ભાવાર્થ:-અહીં સર્વથા એકાંત અભિપ્રાયનો નિષેધ કર્યો છે કારણ કે સર્વથા એકાંત અભિપ્રાય જ મિથ્યાત્વ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com