________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
इति जीवाजीवौ कर्तृकर्मवेषविमुक्तौ निष्क्रान्तौ।
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ कर्तृकर्मप्ररूपकः द्वितीयोऽङ्क ।।
અત્યન્ત-શ્મીર ] ચિન્શક્તિઓના (-જ્ઞાનના અવિભાગપરિચ્છેદોના) સમૂહુના ભારથી અત્યંત ગંભીર [ તત્ જ્ઞાનજ્યોતિઃ] આ જ્ઞાનજ્યોતિ [અન્ત:] અંતરંગમાં [૩ળે.] ઉગ્રપણે [તથા ગ્વનિત ] એવી રીતે જાજ્વલ્યમાન થઈ કે- [યથા ૦ર્તા છર્તા ન ભવતિ] આત્મા અજ્ઞાનમાં કર્તા થતો હતો તે હવે કર્તા થતો નથી અને [કર્મ વર્મ પ ન થવ] અજ્ઞાનના નિમિત્તે પુદ્ગલ કર્મરૂપ થતું હતું તે કર્મરૂપ થતું નથી; [૨થા જ્ઞાન જ્ઞાનં ભવતિ ] વળી જ્ઞાન જ્ઞાનરૂપ જ રહે છે અને [પુદ્રત: પુદ્ર: ગરિ] પુદ્ગલ પુદ્ગલરૂપ જ રહે છે.
ભાવાર્થ:-આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાન તો જ્ઞાનરૂપ જ પરિણમે છે, પુદ્ગલકર્મનો કર્તા થતું નથી; વળી પુદ્ગલ પુદ્ગલ જ રહે છે, કર્મરૂપે પરિણમતું નથી. આમ યથાર્થ જ્ઞાન થયે બન્ને દ્રવ્યના પરિણામને નિમિત્તનૈમિત્તિકભાવ થતો નથી. આવું જ્ઞાન સમ્યગ્દષ્ટિને હોય છે. ૯૯.
ટીકાઃ-આ પ્રમાણે જીવ અને અજીવ કર્તાકર્મનો વેશ છોડીને બહાર નીકળી ગયા.
ભાવાર્થ-જીવ અને અજીવ બને કર્તા-કર્મનો વેશ ધારણ કરી એક થઈને રંગભૂમિમાં દાખલ થયા હતા. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન કે જે યથાર્થ દેખનારું છે તેણે જ્યારે તેમનાં જુદાં જુદાં લક્ષણથી એમ જાણી લીધું કે તેઓ એક નથી પણ બે છે, ત્યારે તેઓ વેશ દૂર કરી રંગભૂમિમાંથી બહાર નીકળી ગયા. બહુરૂપીનું એવું પ્રવર્તન હોય છે કે દેખનાર જ્યાં સુધી ઓળખે નહિ ત્યાં સુધી ચેષ્ટા કર્યા કરે, પરંતુ જ્યારે યથાર્થ ઓળખી લે ત્યારે નિજ રૂપ પ્રગટ કરી ચેષ્ટા કરવી છોડી દે. તેવી રીતે અહીંપણ જાણવું.
જીવ અનાદિ અજ્ઞાન વસાય વિકાર ઉપાય બણે કરતા સો, તાકરિ બંધન આન તણું ફલ લે સુખ દુઃખ ભવાશ્રમવાસો; જ્ઞાન ભયે કરતા ન બને તબ બંધ ન હોય ખુલૈ પરપાસો,
આતમાંહિ સદા સુવિલાસ કરે સિવ પાય રહૈ નિતિ થાસો. આમ શ્રી સમયસારની (શ્રીમદ્દ ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્દ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં કર્તાકર્મનો પ્રરૂપક બીજો અંક સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com