SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩) સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (શાર્વત્રવિહિત) आक्रामन्नविकल्पभावमचलं पक्षैर्नयानां विना सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम्। विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान् ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किञ्चनैकोऽप्ययम्।। ९३ ।। (શાર્દૂલવિક્રીડિત) दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्निजौघाच्च्युतो दूरादेव विवेकनिम्नगमनान्नीतो निजौघं बलात्। विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्माहरन् आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत्।।९४ ।। કરવો તેજ “સમ્યગ્દર્શન” અને “સમ્યજ્ઞાન’ એવાં નામ પામે છે; સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કાંઇ અનુભવથી જુદાં નથી. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે: શ્લોકાર્થઃ- [ નયાનાં પક્ષે: વિના] નયોના પક્ષો રહિત, [ 17 વિરુત્વભાવમ] અચળ નિર્વિકલ્પભાવને [ [મન] પામતો [ 4: સમયચ સાર: ભાતિ] જે સમયનો (આત્માનો) સાર પ્રકાશે છે [સ: :] તે આ સમયસાર (શુદ્ધ આત્મા) – [ નિમૃતૈ: સ્વયમ્ સ્વાદ્યમાનઃ] કે જે નિભૂત (નિશ્ચળ, આત્મલીન) પુરુષો વડે સ્વયં આસ્વાદ્યમાન છે (-આસ્વાદ લેવાય છે, અનુભવાય છે ) તે- [ વિજ્ઞાન–– ૨: માવાન] વિજ્ઞાન જ જેનો એક રસ છે એવો ભગવાન છે, [પુષ્ક: પુરાણ: પુમાન ] પવિત્ર પુરાણ પુરુષ છે; [જ્ઞાનું વર્ણનમ્ કપિ ] જ્ઞાન કહો કે દર્શન કહો તે આ (સમયસાર) જ છે; [અથવા મૂિ ] અથવા વધારે શું કહીએ? [યત્ ખ્યિન કપિ નયમ્ 5:] જે કાંઈ છે તે આ એક જ છે (–માત્ર જુદાં જુદાં નામથી કહેવાય છે). ૯૩. આ આત્મા જ્ઞાનથી શ્રુત થયો હતો તે જ્ઞાનમાં જ આવી મળે છે એમ હવે કહે શ્લોકાર્થઃ- [ તોયવત] જેમ પાણી પોતાના સમૂહથી ટ્યુત થયું થયું દૂર ગહન વનમાં ભમતું હોય તેને દૂરથી જ ઢાળવાળા માર્ગ દ્વારા પોતાના સમૂહ તરફ બળથી વાળવામાં આવે; પછી તે પાણી, પાણીને પાણીના સમૂહ તરફ ખેંચતું થયું પ્રવાહરૂપ થઈને, પોતાના સમૂહમાં આવી મળે; તેવી રીતે [વયં] આ આત્મા [ નિ–ોથાત વ્યુત:] પોતાના વિજ્ઞાનઘનસ્વભાવથી શ્રુત થયો થકો [મૂરિ– વિત્પ-નાન–ને ફૂર શ્રાચ] પ્રચુર વિકલ્પજાળના ગહન વનમાં દૂર ભમતો હતો તેને [ટૂરાન્ sa] દૂરથી Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy