________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(૩૫નાતિ) एकस्य मूढो न तथा परस्य चिति द्वयोविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७१ ।।
(ઉપનાતિ) एकस्य रक्तो न तथा परस्य चिति द्वयोाविति पक्षपातौ। यस्तत्त्ववेदी च्युतपक्षपातस्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव।। ७२ ।।
[ સુ વિત્ વ સ્ત] ચિસ્વરૂપ જ છે (અર્થાત્ તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે).
ભાવાર્થ-આ ગ્રંથમાં પ્રથમથી જ વ્યવહારનયને ગૌણ કરીને અને શુદ્ધનયને મુખ્ય કરીને કથન કરવામાં આવ્યું છે. ચૈતન્યના પરિણામ પરનિમિત્તથી અનેક થાય છે તે સર્વને પહેલેથી જ આચાર્ય ગૌણ કહેતા આવ્યા છે અને જીવને શુદ્ધ ચૈતન્યમાત્ર કહ્યો છે. એ રીતે જીવ-પદાર્થનેશુદ્ધ, નિત્ય, અભેદ ચૈતન્યમાત્ર સ્થાપીને હવે કહે છે કે આ શુદ્ધનયનો પણ પક્ષપાત (વિકલ્પ) કરશે તે પણ તે શુદ્ધ સ્વરૂપના સ્વાદને નહિ પામે. અશુદ્ધનયની તો વાત જ શી? પણ જો કોઈ શુદ્ધનયનો પણ પક્ષપાત કરશે તો પક્ષનો રાગ નહિ મટે તેથી વીતરાગતા નહિ થાય. પક્ષપાતને છોડી ચિન્માત્ર સ્વરૂપ વિષે લીન થયે જ સમયસારને પમાય છે. માટે શુદ્ધનયને જાણીને, તેનો પણ પક્ષપાત છોડી શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરી, સ્વરૂપ વિષે પ્રવૃત્તિરૂપ ચારિત્ર પ્રાપ્ત કરી, વીતરાગ દશા પ્રાપ્ત કરવી યોગ્ય છે. ૭૦.
શ્લોકાર્થ:- [ મૂઢ:] જીવ મૂઢ (મોહી) છે [ ] એવો એક નયનો પક્ષ છે અને [ ન તથા] જીવ મૂઢ (મોહી) નથી [ પરસ્ટ] એવો બીજા નયનો પક્ષ છે, [તિ] આમ [ રિતિ] ચિસ્વરૂપ જીવ વિષે [૩યો.] બે નયોના [ઢૌ પક્ષપાતી] બે પક્ષપાત છે. [૫: તત્ત્વવેવી વ્યુતપક્ષપાત:] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [તચ] તેને [ નિત્ય] નિરંતર [ વિસ્] ચિસ્વરૂપ જીવ [વતુ ચિત્ સ્તિ] ચિસ્વરૂપ જ છે ( અર્થાત તેને ચિસ્વરૂપ જીવ જેવો છે તેવો નિરંતર અનુભવાય છે). ૭૧.
શ્લોકાર્થઃ- [ રજી:] જીવ રાગી છે [પ્રવચ] એવો એક નયનો પક્ષ છે અને [ન તથા] જીવ રાગી નથી [પરચ] એવો બીજા નયનો પક્ષ છે; [તિ] આમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com