________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
अत एतत्स्थितम्
કર્તા-કર્મ અધિકાર
उप्पादेदि करेदि य बंधदि परिणामएदि गिण्हदि य । आदा पोग्गलदव्वं ववहारणयस्स वत्तव्वं । । १०७ ।। उत्पादयति करोति च बध्नाति परिणामयति गृह्णाति च । आत्मा पुद्गलद्रव्यं व्यवहारनयस्य वक्तव्यम्।। १०७ ।।
अयं खल्वात्मा न गृह्णाति, न परिणमयति, नोत्पादयति, न करोति, न बध्नाति, व्याप्यव्यापकभावाभावात्, प्राप्यं विकार्यं निर्वर्त्यं च पुद्गलद्रव्यात्मकं कर्म । यत्तु व्याप्यव्यापकभावाभावेऽपि प्राप्यं विकार्यं निर्वर्त्यं च पुद्गलद्रव्यात्मकं कर्म गृह्णाति परिणमयति उत्पादयति करोति बध्नाति चात्मेति विकल्पः स किलोपचारः ।
कथमिति चेत्
હવે કહે છે કે ઉ૫૨ના હેતુથી આમ ઠર્યું:
ઉપજાવતો, પ્રણમાવતો, ગ્રહતો, અને બાંધે, કરે પુદ્ગલદરવને આતમા-વ્યવહા૨નયવક્તવ્ય છે. ૧૦૭.
૧૮૯
ગાથાર્થ:- [આભા] આત્મા [પુ।તદ્રવ્યમ્] પુદ્ગલદ્રવ્યને [ ઉત્પાવયતિ ] ઉપજાવે છે, [રોતિ વ] કરે છે, [ વઘ્નાતિ] બાંધે છે, [ પરિણામયતિ] પરિણમાવે છે [TM] અને [ગૃાતિ] ગ્રહણ કરે છે-એ [વ્યવહારનયસ્ય] વ્યવહારનયનું [વવ્યક્] કથન છે.
ટીકા:-આ આત્મા ખરેખર, વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય-એવા પુદ્ગલદ્રવ્યાત્મક ( –પુદ્દગલદ્રવ્યસ્વરૂપ ) કર્મને ગ્રહતો નથી, પરિણમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી; અને વ્યાપ્ય– વ્યાપકભાવનો અભાવ હોવા છતાં પણ, “પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય-એવા પુદ્દગલદ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે” એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે.
**
ભાવાર્થ::-વ્યાખવ્યાપકભાવ વિના કર્તાકર્મપણું કહેવું તે ઉપચાર છે; માટે આત્મા પુદ્દગલદ્રવ્યને ગ્રહે છે, પરિણમાવે છે, ઉપજાવે છે, ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે.
હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે? તેનો ઉત્તર દૃષ્ટાંતથી કહે છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com