________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
करोत्यविशेषादित्यस्ति व्यामोहः।
स न सनजदि सो परदव्वाणि य करेज्ज णियमेण तम्मओ होज्ज। जम्हा ण तम्मओ तेण सो ण तेसिं हवदि कत्ता।। ९९ ।। यदि स परद्रव्याणि च कुर्यान्नियमेन तन्मयो भवेत्। यस्मान्न तन्मयस्तेन स न तेषां भवति कर्ता।। ९९ ।।
यदि खल्वयमात्मा परद्रव्यात्मकं कर्म कुर्यात् तदा परिणामपरिणामिभावान्यथा नुपपत्तेर्नियमेन तन्मय: स्यात्; न च द्रव्यान्तरमयत्वे द्रव्योच्छेदापत्तेस्तन्मयोऽस्ति। ततो व्याप्यव्यापकभावेन न तस्य कर्तास्ति।
કર્મને પણ બને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી-કરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાંતિ, અજ્ઞાન) છે.
ભાવાર્થ:-ઘટ-પટ, કર્મ-નોકર્મ ઇત્યાદિ પરદ્રવ્યોને આત્મા કરે છે એમ માનવું તે વ્યવહારી લોકોનો વ્યવહાર છે, અજ્ઞાન છે.
વ્યવહારી લોકોની એ માન્યતા સત્યાર્થ નથી એમ હવે કહે છે:
પદ્રવ્યને જીવ જો કરે તો જરૂર તન્મય તે બને, પણ તે નથી તન્મય અરે ! તેથી નહિ કર્તા ઠરે. ૯૯.
ગાથાર્થ:- [રિ ૨] જો [સ: ] આત્મા [પદ્રવ્યાળિ] પરદ્રવ્યોને [કર્યા ] કરે તો તે [ નિયમેન] નિયમથી [તન્મય: ] તન્મય અર્થાત્ પરદ્રવ્યમય [ ભવેત્] થઈ જાય; [ યાત્ ન તન્મય:] પરંતુ તન્મય નથી [ તેન] તેથી [સ:] તે [તેષાં ] તેમનો [ ] કર્તા [ન ભવતિ ] નથી.
ટીકાઃ-જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્યસ્વરૂપ કર્મને કરે. તો, પરિણામપરિણામીપણું બીજી કોઈ રીતે બની શકતું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પદ્રવ્યમય ) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી, કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્ય- વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી.
ભાવાર્થ-એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તાકર્મપણું અથવા પરિણામ-પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com