________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
(કાર્યા) यः परिणमति स कर्ता यः परिणामो भवेत्तु तत्कर्म। या परिणतिः क्रिया सा त्रयमपि भिन्नं न वस्तुतया।। ५१ ।।
| ( ) एक: परिणमति सदा परिणामो जायते सदैकस्य। एकस्य परिणतिः स्यादनेकमप्येकमेव यतः।। ५२ ।।
ભાવાર્થ-આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો; પુદ્ગલના પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો. આત્માની અને પુદ્ગલની–બનેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાદષ્ટિ છે. જડ-ચેતનની એક ક્રિયા હોય તો સર્વ દ્રવ્યો પલટી જવાથી સર્વનો લોપ થઈ જાય-તે મોટો દોષ ઊપજે.
હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થઃ- [૫: પરિણમતિ સ વર્તા] જે પરિણમે છે તે કર્તા છે, [ : પરિણામ: ભવેત તત ] ( પરિણમનારનું) જે પરિણામ છે તે કર્મ છે [1] અને [યા પરિણતિ: સા ક્રિયા] જે પરિણતિ છે તે ક્રિયા છે; [ ત્રયમ્ ]િ એ ત્રણેય, [ વસ્તુતયા fમનું ન] વસ્તુપણે ભિન્ન નથી.
ભાવાર્થ-દ્રવ્યદષ્ટિએ પરિણામ અને પરિણામીનો અભેદ છે અને પર્યાયદષ્ટિએ ભેદ છે. ભેદદષ્ટિથી તો કર્તા, કર્મ અને ક્રિયા ત્રણ કહેવામાં આવે છે પણ અહીં અભેદદષ્ટિથી પરમાર્થ કહ્યો છે કે કર્તા, કર્મ અને ક્રિયા-ત્રણેય એક દ્રવ્યની અભિન્ન અવસ્થાઓ છે, પ્રદેશભેદરૂપ જુદી વસ્તુઓ નથી. પ૧.
ફરી પણ કહે છે કે –
શ્લોકાર્થઃ- [g: પરિણમતિ સવા] વસ્તુ એક જ સદા પરિણમે છે, [કવચ સવ પરિણામ: નાયતે એકના જ સદા પરિણામ થાય છે (અર્થાત્ એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે ) અને [પરિણતિ: ચીત્] એકની જ પરિણતિ-ક્રિયા થાય છે; [યત:] કારણ કે [ મને... પિ મ ] અનેકરૂપ થવા છતાં એક જ વસ્તુ છે, ભેદ નથી.
ભાવાર્થ:-એક વસ્તુના અનેક પર્યાયો થાય છે, તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે. તેઓ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે છે તો પણ એક વસ્તુ જ છે, જાદા નથી; એવો જ ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. પર.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com