SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ સમયસાર ભગવાન શ્રીકુંદકુંદ ततो या काचन क्रिया किल सकलापि सा क्रियावतो न भिन्नेति क्रियाकोंर व्यतिरिक्ततायां वस्तुस्थित्या प्रतपत्यां, यथा व्याप्यव्यापकभावेन स्वपरिणामं करोति भाव्यभावकभावेन तमेवानुभवति च जीवस्तथा व्याप्यव्यापकभावेन पुद्गलकर्मापि यदि कुर्यात् भाव्यभावकभावेन तदेवानुभवेच ततोऽयं स्वपरसमवेतक्रियाद्वयाव्यतिरिक्ततायां प्रसजन्त्यां स्वपरयो: परस्परविभागप्रत्यस्तमनादनेकात्मकमेकमात्मानमनु भवन्मिथ्या दृष्टितया सर्वज्ञावमतः स्यात्। कुतो द्विक्रियानुभावी मिथ्यादृष्टिरिति चेत्जम्हा दु अत्तभावं पोग्गलभावं च दो वि कुव्वंति। तेण दु मिच्छादिट्ठी दोकिरियावादिणो हुति।।८६ ।। यस्मात्त्वात्मभावं पुद्गलभावं च द्वावपि कुर्वन्ति। तेन तु मिथ्यादृष्टयो द्विक्रियावादिनो भवन्ति।। ८६ ।।। જાદી બે વસ્તુ નથી). માટે (એમ સિદ્ધ થયું કે, જે કોઈ ક્રિયા છે તે બધીયે ક્રિયાવાનથી (દ્રવ્યથી ) ભિન્ન નથી. આમ, વસ્તુસ્થિતિથી જ (અર્થાત્ વસ્તુની એવી જ મર્યાદા હોવાને લીધે) ક્રિયા અને કર્તાનું અભિન્નપણું (સદાય) તપતું હોવાથી, જીવ જેમ વ્યાયવ્યાપકભાવથી પોતાના પરિણામને કરે છે અને ભાવ્યભાવકભાવથી તેને જ અનુભવે-ભોગવે છે તેમ જ વ્યાપ્યવ્યાપકભાવથી પુગલકર્મને પણ કરે અને ભાવ્યભાવકભાવથી તેને જ ભોગવે તો તે જીવ, પોતાની અને પરની ભેગી મળેલી બે ક્રિયાથી અભિન્નપણાનો પ્રસંગ આવતાં સ્વ-પરનો પરસ્પર વિભાગ અસ્ત થઈ જવાથી (નાશ પામવાથી), અનેકદ્રવ્યસ્વરૂપ એક આત્માને અનુભવતો થકો મિથ્યાદષ્ટિપણાને લીધે સર્વજ્ઞના મતની બહાર છે. ભાવાર્થ:-બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન જ છે. જડની ક્રિયા ચેતન કરતું નથી, ચેતનની ક્રિયા જડ કરતું નથી. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યાષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જિનનો મત નથી. હવે ફરી પુછે છે કે બે ક્રિયાનો અનુભવ કરનાર પુરુષ મિથ્યાદષ્ટિ કઈ રીતે છે? તેનું સમાધાન કરે છે – જીવભાવ, પુદ્ગલભાવ-બન્ને ભાવને જેથી કરે, તેથી જ મિથ્યાદષ્ટિ એવા ઢિક્રિયાવાદી ઠરે. ૮૬. ગાથાર્થઃ- [વર્માત્ તુ] જેથી [ ગાત્મમવં] આત્માના ભાવને [૨] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy