________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
[દ્વિતીય આવૃત્તિ પ્રસંગે ]
પ્રથમ આવૃત્તિમાં શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવકૃત સંસ્કૃત ટીકા છપાવવામાં આવી નહોતી; આ દ્વિતીય આવૃત્તિમાં તે ઉમેરવામાં આવી છે. આ સંસ્કૃત ટીકા વિ. સં. ૧૯૭૫માં શ્રી પરમશ્રુતપ્રભાવક મંડળ દ્વારા પ્રકાશિત સમયસાર પ્રમાણે છપાવવામાં આવી છે; તેમાં (વિ.સં. ૧૯૭૫ની મુદ્રિત ટીકામાં) ક્યાંક અશુદ્ધિઓ જણાઈ તે ઘણીખરી (હસ્તલિખિત પ્રતોના આધારે) સુધારી લેવામાં આવી છે, તેમ જ કયાંક મુદ્રિત પાઠો કરતાં હસ્તલિખિત પ્રતોના પાઠાંતરો વિશેષ બંધબેસતા લાગ્યા ત્યાં હસ્તલિખિત પ્રતો પ્રમાણે પાઠ લેવામાં આવ્યા છે.
ગુજરાતી અનુવાદ પ્રથમ આવૃત્તિ પ્રમાણે રાખવામાં આવ્યો છે; માત્ર કોઈક જૂજ સ્થળોએ અલ્પ ફેરફાર કર્યો છે.
જે જે ભાઈઓએ કામમાં મદદ કરી છે તે સૌનો ઋણી છું.
ફાગણ સુદ ૧૧, વિ. સં. ૨૦૦૯
*
*
હિં. જે. શાહ
[તૃતીય આવૃત્તિ પ્રસંગે ]
પ્રથમની બે આવૃત્તિઓમાં સંસ્કૃત ટીકાના લશરૂપ શ્લોકોનો સળંગ ગુજરાતી અનુવાદ છપાવવામાં આવ્યો હતો. આ ત્રીજી આવૃત્તિમાં તે બ્લોકોના ગુજરાતી અનુવાદની વચ્ચે વચ્ચે સંસ્કૃત શબ્દો કૌંસમાં છપાવવામાં આવ્યા છે કે જેથી કયા સંસ્કૃત શબ્દનો કયો ગુજરાતી અર્થ છે તે સહેલાઈથી વાચકના ખ્યાલમાં આવી શકે. આ રીતે ‘શ્લોકાર્થ ’માં સંસ્કૃત શબ્દો યથાસ્થાને ગોઠવવાનું કામ બ્ર૦ ભાઈશ્રી ચંદુલાલભાઈ ઝોબાળિયાએ પોતાની સ્વયંસ્ફુરિત ભાવનાથી ઘણી ચોકસાઈપૂર્વક કર્યું છે.
ઉપરોક્ત વિશેષતા સિવાય, (તેમ જ અનુવાદમાં માત્ર કયાંક કરાયેલા નજીવા ફેરફાર સિવાય, ) આ તૃતીય આવૃત્તિની સર્વ સામગ્રી-સંસ્કૃત ટીકા, અનુવાદ વગેરે બધુંદ્વિતીય આવૃત્તિ પ્રમાણે જ છે.
ફાગણ વદ દશમ, વિ. સં. ૨૦૨૫
હિં. જે. શાહ
*
*
*
[છઠ્ઠી આવૃત્તિ પ્રસંગે ]
છઠ્ઠી આવૃત્તિની સર્વ સામગ્રી-સંસ્કૃત ટીકા, અનુવાદ વગેરે બધું–ત્રીજી વગેરે અગાઉની આવૃત્તિઓ પ્રમાણે જ છે.
શ્રાવણ વદ વિ. સં.૨૦૪૮ (બહેનશ્રી ચંપાબેન-૭૯મી જન્મજયંતી )
હિં. જે. શાહ
[સાતમી આવૃત્તિ પ્રસંગે ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com