________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
કર્તા-કર્મ અધિકાર
૧૪૩
ज्ञातु: पुद्गलपरिणामो व्याप्यः, पुद्गलात्मनो यज्ञायकसम्बन्धव्यवहारमात्रे सत्यपि पुद्गलपरिणामनिमित्तकस्य ज्ञानस्यैव ज्ञातुर्व्याप्यत्वात्।
(શાર્દૂત્રવિક્ટોહિત) व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः। इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दंस्तमो ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्।। ४९ ।।
કે પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે; કારણ કે પુદ્ગલને અને આત્માને
યજ્ઞાયકસંબંધનો વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું વ્યાપ્ય છે. (માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે.)
હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ વ્યાયવ્યાપતા તાત્મિનિ ભવે ] વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ હોય, [ તવીત્મનિ પિ ન ઈવ] અતસ્વરૂપમાં ન જ હોય. અને [વ્યાખ્યવ્યાપ– મીવરસમ્ભવમ્ ઋતે] વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના [ વર્તુર્મરિસ્થતિ: ] કર્તાકર્મની સ્થિતિ કેવી ? અર્થાત્ કર્તાકર્મની સ્થિતિ ન જ હોય. [તિ ઉદ્દામ–વિવે–ઘમ્મર– મહમરેખ ] આવો પ્રબળ વિવેકરૂપ, અને સર્વને ગ્રામીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી [તમ: મિન્દ્ર ] અજ્ઞાન-અંધકારને ભેદતો, [1: Us: પુમાન ] આ આત્મા [જ્ઞાનીમ્ય ] જ્ઞાનસ્વરૂપ થઈને, [ તવા] તે કાળે [તૃત્વશૂન્ય: નલિત: ] ક્નત્વરહિત થયેલો શોભે છે.
ભાવાર્થ-જે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક અવસ્થાવિશેષ તે, (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય છે. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય છે. આવું વ્યાપ્યવ્યાપકપણે તસ્વરૂપમાં જ (અર્થાત અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ) હોય; અતસ્વરૂપમાં ( અર્થાત્ જેમની સત્તા-સત્ત્વ ભિન્ન ભગ્નિ છે એવા પદાર્થોમાં ) ન જ હોય. જ્યાં વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ ન હોય. આવું જે જાણે તે પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં તે જ્ઞાની થાય છે, કર્તાકર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતાદ્રષ્ટા- જગતનો સાક્ષીભૂત-થાય છે. ૪૯.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com