________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
કર્તા-કર્મ અધિકાર
૧૩૭
केन विधिनायमास्रवेभ्यो निवर्तत इति चेत्
अहमेक्को खलु सुद्धो णिम्ममओ णाणदंसणसमग्गो। तम्हि ठिदो तचितो सव्वे एदे खयं णेमि।। ७३ ।।
अहमेकः खलु शुद्धः निर्ममतः ज्ञानदर्शनसमग्रः।
तस्मिन् स्थितस्तचित्तः सर्वानेतान् क्षयं नयामि।।७३ ।। अहमयमात्मा प्रत्यक्षमक्षुण्णमनन्तं चिन्मात्रं ज्योतिरनाद्यनन्तनित्यो-दितविज्ञानघनस्वभावभावत्वादेक:,
सकलकारकचक्रप्रक्रियोत्तीर्णनिर्मलानुभूतिमात्रत्वाच्छुद्धः, पुद्गलस्वामिकस्य क्रोधादिभाववैश्वरूपस्य स्वस्य स्वामित्वेन नित्यमेवापरिणमनान्निर्ममतः, चिन्मात्रस्य महसो वस्तुस्वभावत एव सामान्यविशेषाभ्यां सकलत्वात् ज्ञानदर्शनसमग्रः, गगनादिवत्पारमार्थिको वस्तुविशेषोऽस्मि। तदहमधुनास्मिन्नेवात्मनि निखिलपरद्रव्य
હવે પૂછે છે કે કઈ વિધિથી (-રીતથી) આ આત્મા આસ્રવોથી નિવર્તે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છે:
છું એક, શુદ્ધ, મમત્વહીન હું, જ્ઞાનદર્શનપૂર્ણ છું; એમાં રહી સ્થિત, લીન એમાં, શીધ્ર આ સૌ ક્ષય કરું. ૭૩.
ગાથાર્થ-જ્ઞાની વિચારે છે કેઃ [ વ7] નિશ્ચયથી [ કદમ ] હું [gs:] એક છું, [શુદ્ધ: ] શુદ્ધ છું, [ નિર્મમત: ] મમતારહિત છું, [ જ્ઞાનન્દર્શનમ:] જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; [ તસ્મિન રિશત:] તે સ્વભાવમાં રહેતો, [તચિત્ત:] તેમાં (–તે ચેતન્ય-અનુભવમાં) લીન થતો (હું) [yતાન] આ [સર્વાન ] ક્રોધાદિક સર્વ આગ્નવોને [ક્ષયં] ક્ષય [નયાન] પમાડું છું.
ટીકા:-હું આ આત્મા-પ્રત્યક્ષ અખંડ અનંત ચિત્માત્ર જ્યોતિ-અનાદિ-અનંત નિત્ય-ઉદયરૂપ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું; (કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન,
અપાદાન અને અધિકરણસ્વરૂપ) સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું; પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતારહિત છું ચિત્માત્ર જ્યોતિનું (આત્માનું), વસ્તુસ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (આખાપણું) હોવાથી, હું જ્ઞાનદર્શન વડે પરિપૂર્ણ છું. –આવો હું આકાશાદિ દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com