________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
સમયસાર
(માલિની)
परपरिणतिमुज्झत् खण्डयद्भेदवादानिदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुचैः। ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्तैरिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः ।। ४७ ।।
ભગવાનશ્રીકુંદકુંદ
(–કહેવા ધારેલો) છે. અવિરતિ આદિથી બંધ થાય છે તે અલ્પ સ્થિતિ-અનુભાગવાળો છે, દીર્ઘ સંસારનું કારણ નથી; તેથી તે પ્રધાન ગણવામાં આવ્યો નથી. અથવા તો આ પ્રમાણે કારણ છેઃ-જ્ઞાન બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી; કારણ કે વિકાર કે જે બંધરૂપ છે અને બંધનું કારણ છે, તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. આ અર્થના સમર્થનરૂપ કથન આગળ જતાં ગાથાઓમાં આવશે.
અહીં કળશરૂપ કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [ પરપરિગતિમ્ ઉત્] ૫૨૫રિણતિને છોડતું, [મેવવાવાન્ વણ્ડયત્] ભેદનાં કથનોને તોડી પાડતું, [વમ્ અવન્તુમ્ વ્વન્તુમ્ જ્ઞાનન્] આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન [ઉજ્જૈ: ઉવિતમ્] પ્રત્યક્ષ ઉદય પામ્યું છે, [નનુ] અહો ! [ રદ્દ ] આવા જ્ઞાનમાં [Íર્મપ્રવૃત્ત: ] ( ૫દ્રવ્યનાં ) કર્તાકર્મની પ્રવૃત્તિનો [થમ્ અવળાશ: ] અવકાશ કેમ હોઈ શકે ? [ ] તથા [ પૌદ્દત: ર્મવન્ધ: ] પૌદ્દગલિક કર્મબંધ પણ [i મતિ] કેમ હોઈ શકે? (ન જ હોઈ શકે. )
(જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી ‘અખંડ' એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી ‘ભેદનાં કથનોને તોડી પાડતું' એમ કહ્યું છે. ૫૨ના નિમિત્તે રાગાદિરૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે તેથી ‘૫૨૫રિણતિને છોડતું' એમ કહ્યું છે. ૫૨ના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી ‘ અત્યંત પ્રચંડ’ કહ્યું છે. )
ભાવાર્થ:-કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદભાવને અને ૫૨૫રિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કા૨કની પ્રવૃત્તિ મટી; તો પછી હવે બંધ શા માટે હોય ? અર્થાત્ ન હોય. ૪૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com