________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
कथं चिदन्वयप्रतिभासेऽप्यध्यवसानादयः पुद्गलस्वभावा इति चेत्
अट्ठविहं पि य कम्मं सव्वं पोग्गलमयं जिणा बेंति। जस्स फलं तं वुच्चदि दुक्खं ति विपच्चमाणस्स।।४५ ।।
अष्टविधमपि च कर्म सर्वं पुद्गलमयं जिना बुवन्ति। यस्य फलं तदुच्यते दुःखमिति विपच्यमानस्य।। ४५ ।।
अध्यवसानादिभावनिर्वर्तकमष्टविधमपि च कर्म समस्तमेव पुद्गलमयमिति किल सकलज्ञज्ञप्तिः। तस्य तु यद्विपाककाष्ठामधिरूढस्य फलत्वेनाभिलप्यते तदनाकुलत्वलक्ष-णसौख्याख्यात्मस्वभावविलक्षणत्वात्किल दुःखं। तदन्तःपातिन एव किलाकुलत्वलक्षणा
છે, પરંતુ શિષ્યને બહુ કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો છ મહિનાથી અધિક નહિ લાગે; તેથી અન્ય નિખ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. ૩૪.
હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્યસ્વભાવ જીવ કહ્યો; તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, (ચૈતન્ય સિવાય જડને તો દેખાતા નથી, ) છતાં તેમને પુલના સ્વભાવ કેમ કહ્યા? તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છે -
રે! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુગલમય કહે, પરિપાક સમયે જેહનું ફળ દુ:ખ નામ પ્રસિદ્ધ છે. ૪૫.
ગાથાર્થ [વિધ કપિ ૨] આઠ પ્રકારનું [ ] કર્મ છે તે [ સર્વ ] સર્વ [પુત્તિમય] પુદ્ગલમય છે એમ [ નિન:] જિનભગવાન સર્વજ્ઞદવો [ ધ્રુવન્તિ] કહે છે[ચચ વિઘવ્યમાનસ્ય ] જે પકવ થઈ ઉદયમાં આવતા કર્મનું [તં] ફળ [તત્] પ્રસિદ્ધ [:] દુઃખ છે [તિ ચેતે] એમ કહ્યું છે.
ટીકા-અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠ પ્રકારનું જ્ઞાનાવરણ આદિ કર્મ છે તે બધુંય પુદ્ગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે (એટલે કે કર્મફળ), અનાકુળતાલક્ષણ જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હોવાથી, દુ:ખ છે. તે દુઃખમાં જ આકુળતાલક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે; તેથી,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com