SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪] Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર कुतः पुनर्बहिरन्तर्वाचस्त्यागः कर्तव्य इत्याह यन्मया दृश्यते रूपं तन्न जानाति सर्वथा । जानन्न दृश्यते रूपं तत: केन ब्रवीम्यहम् ।।१८।। टीका- रूपं शरीरादिरूपं यद दृश्यते इन्द्रियैः परिच्छिद्यते मया तदचेतनत्वात् उक्तमपि वचनं सर्वथा न जानाति। जानता च समं वचनव्यवहारो युक्तो नान्येनातिप्रसङ्गात्। यच्च जानद् रूपं चेतनमास्वरूपं तन्न दृश्यते इन्द्रियैर्न परिच्छिद्यते। यत एवं ततः केन सह વ્રવચદમા ૨૮ાા વળી અંતરંગ અને બહિરંગ વચન-પ્રવૃત્તિનો ત્યાગ કેવી રીતે કરવો? તે કહે છે – શ્લોક ૧૮ અન્વયાર્થ : (મયા) મારાવર્ડ (ય છi) જે રૂપ-શરીરાદિરૂપી પદાર્થ (દશ્યતે) દેખાય છે (તત્ ) તે-અચેતન પદાર્થ (સર્વથા) સર્વથા (ન નાનાતિ) કોઈને જાણતો નથી અને (નાનત્ પં) જે જાણવાવાળો ચૈતન્યરૂપ આત્મા છે તે (ન દશ્યતે) દેખાતો નથી. (તતા ) તો ( ૬ ) હું (ન) કોની સાથે (બ્રવીતિ) બોલું-વાતચીત કરું? ટીકા : રૂપ એટલે શરીરાદિરૂપ જે દેખાય છે અર્થાત્ ઇન્દ્રિયો દ્વારા મારાથી જણાય છે, તે અચેતન (જડ) હોવાથી (મારા) બોલેલા વચનને પણ સર્વથા જાણતું નથી; જે જાણતો હોય (સમજતો હોય) તેની સાથે વચન-વ્યવહાર યોગ્ય છે; બીજાની સાથે (વચન-વ્યવહાર) યોગ્ય નથી કારણ કે અતિ પ્રસંગ આવે છે, અને જે રૂપ અર્થાત્ ચેતન-આત્મસ્વરૂપ જાણે છે તે તો ઇન્દ્રિયોદ્વારા દેખાતું નથી જણાતું નથી; જો એમ છે તો હું કોની સાથે બોલું? ભાવાર્થ : જે શરીરાદિરૂપી પદાર્થો ઇન્દ્રિયોથી દેખાય છે તે અચેતન હોવાથી બોલેલું વચન સર્વથા જાણતા નથી-સમજતા નથી અને જેનામાં જાણવાની શક્તિ છે તે ચૈતન્યસ્વરૂપ આત્મા અરૂપી હોવાથી ઇન્દ્રિયોદ્વારા દેખાતો નથી; તેથી અંતરાત્મા વિચારે છે કે “કોઈની સાથે બોલવું યા વચન-વ્યવહારની પ્રવૃત્તિ કરવી તે નિરર્થક છે, કારણ કે પરનું જાણવાવાળું ચૈતન્યદ્રવ્ય છે તે તો મને દેખાતું નથી અને ઇન્દ્રિયોદ્વારા જે રૂપી શરીરાદિક જડ પદાર્થો દેખાય છે તે ચેતનારહિત હોવાથી કાંઈ પણ જાણતા નથી, તો હું કોની સાથે વાત કરું? કોઈની પણ સાથે વાતચીત કરવાનું બનતું નથી, માટે હવે તો મારે મારા સ્વરૂપમાં રહેવું એ યોગ્ય છે, પરંતુ બોલવાનો વિકલ્પ (રાગ) કરવો તે યોગ્ય નથી.” * जं मया दिस्सदे रूवं तं ण जाणादि सव्वहा । जाणगं दिस्सदे णं तं तम्हा जपेमि केण हं ।। २९ ।। (मोक्षप्राभृते-श्रीकुन्दकुन्दाचार्य:) Please inform us of any errors on [email protected]
SR No.008301
Book TitleSamadhi Tantra
Original Sutra AuthorN/A
AuthorDevnandi Maharaj
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy