SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમાધિતંત્ર [૧૭ तद्वाचिकां नाममालां दर्शयन्नाह - निर्मलः केवलः शुद्धो विविक्तः प्रभुरव्ययः । परमेष्ठी परात्मेति परमात्मेश्वरो जिनः ।।६।। टीका- निर्मलः कर्ममलरहितः। केवलः शरीरादीनां सम्बन्धरहितः। शुद्धः द्रव्यभावकर्मणामभावात् परमविशुद्धिसमन्वितः। विविक्तः शरीरकर्मादिभिरसंस्पृष्टः। प्रभुरिन्द्रादीनां स्वामी। अव्ययो लब्धानंतचतुष्टयस्वरूपादप्रच्युतः। परमेष्ठी परमे इन्द्रादिवंद्ये पदे तिष्ठतीति परमेष्ठी स्थानशीलः। परात्मा संसारिजीवेभ्य उत्कृष्ट आत्मा। इति शब्द: प्रकारार्थे। एवंप्रकारा ये शब्दास्ते परमात्मनो वाचकाः। परमात्मेत्यादिना तानेव दर्शयति। परमात्मा सकलप्राणिभ्य उत्तम आत्मा। ईश्वर इन्द्राद्यसम्भविना अन्तरङ्गबहिरङ्गेण परमैश्वर्येण सदैव सम्पन्नः। जिनः सकलकर्मोन्मूलकः।।६।। હોવાથી તેઓ સકલ (કલ-શરીર સહિત) પરમાત્મા કહેવાય છે. જે જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ, રાગાદિ ભાવકર્મ અને શરીરાદિ નોકર્મથી રહિત છે, શુદ્ધજ્ઞાનમય છે, ઔદારિક શરીર (કલ) રહિત છે, તે નિર્દોષ અને પરમ પૂજ્ય સિદ્ધ પરમેષ્ઠી ‘નિકલ પરમાત્મા’ કહેવાય છે. તેઓ અનંત કાળ સુધી અનંત સુખ ભોગવે છે. આત્મામાં પરમાનંદની શક્તિ ભરી પડી છે. બાહ્ય ઇન્દ્રિય-વિષયોમાં વાસ્તવિક સુખ નથી. એમ અંતર પ્રતીતિ કરીને ધર્મી જીવ અંતર્મુખ થઈને આત્માના અતીન્દ્રિય સુખનો સ્વાદ લે છે. જેમ લીંડીપીપરના દાણે દાણે ચોસઠ પહોરી તીખાશની તાકાત ભરી છે તેમ પ્રત્યેક આત્માનો સ્વભાવ પરિપૂર્ણ જ્ઞાન-આનંદથી ભરેલો છે, પણ તેનો વિશ્વાસ કરી અંતર્મુખ થઈને તેમાં એકાગ્ર થાય તો તે જ્ઞાન-આનંદનો સ્વાદ અનુભવવામાં આવે. આત્માથી ભિન્ન બાહ્ય વિષયોમાં કયાંય આત્માનો આનંદ નથી. ધર્માત્મા પોતાના આત્મા સિવાય બહારમાં કયાંયસ્વપ્નમાં ય આનંદ માનતો નથી. આવો અંતરાત્મા પોતાના આંતરસ્વરૂપમાં એકાગ્ર થઈને પરિપૂર્ણ જ્ઞાન આનંદ પ્રગટ કરીને પોતે જ પરમાત્મા થાય છે....” (“આત્મધર્મ' માંથી) પરમાત્માનાં નામ-વાચક નામાવલિ દર્શાવતાં કહે છે : શ્લોક ૬ અન્વયાર્થ : (નિર્મન:) નિર્મળ-મલ રહિત, (વન:) કેવળ-શરીરાદિ પર દ્રવ્યના સંબંધથી રહિત, (શુદ્ધ:) શુદ્ધ-રાગાદિથી અત્યંત ભિન્ન થઈ ગયા હોવાથી પરમ વિશુદ્ધિવાળા, (વિવિવા:) વિવિક્ત-શરીર અને કર્માદિકના સ્પર્શથી રહિત, (પ્રમુ:) પ્રભુ-ઇન્દ્રાદિકના સ્વામી, (અવ્યય:) અવ્યય-પોતાના અનંત ચતુષ્ટયરૂપ સ્વભાવથી શ્રુત નહિ થવાવાળા, (પરમેષ્ટી) પરમેષ્ઠી-ઇન્દ્રાદિથી વન્ધ પરમ પદમાં સ્થિત, (ારાત્મા ) પરાત્મા-સંસારી જીવોથી ઉત્કૃષ્ટ Please inform us of any errors on [email protected]
SR No.008301
Book TitleSamadhi Tantra
Original Sutra AuthorN/A
AuthorDevnandi Maharaj
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Yoga, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy