________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨
[ ભગવાન શ્રીકુંદકુંદ
રત્નકરડક શ્રાવકાચાર तत्र निःशंक्तित्त्वेऽजनचोरो दृष्टान्ततां गतोऽस्य कथा।
વળી પ્રથમાનુયોગમાં ઉપચારરૂપ કોઈ ધર્મ-અંગ થતાં ત્યાં સંપૂર્ણ ધર્મ થયો કહીએ છીએ. જેમ જીવોને શંકા-કાંક્ષાદિ ન કરતાં તેને સત્યત્વ થયું કહીએ છીએ. પણ કોઈ કાર્યમાં શંકા-કાંક્ષા ન કરવા માત્રથી તો સમ્યકત્વ ન થાય. સમ્યકત્વ તો તત્ત્વજ્ઞાનો થતાં જ થાય છે; પરંતુ અહીં નિશ્ચય સમ્યકત્વ શ્રદ્ધાન તો વ્યવહાર સમ્યત્વમાં ઉપચાર કર્યો તથા વ્યવહાર સમ્યકત્વના કોઈ એક અંગમાં સંપૂર્ણ વ્યવહાર સમ્યકત્વનો ઉપચાર કર્યો. એ પ્રમાણે તેને ઉપચારથી સમ્યકત્વ પ્રાપ્ત થયું કહીએ છીએ.”
જેને પાછળથી સમ્યકત્વ થયું હોય તેને જ આ ઉપચાર લાગુ પડે છે, પણ મિથ્યાષ્ટિ દ્રવ્યલિંગી, જે પાછળથી સમ્યગ્દર્શન પ્રગટ કરે નહિ તેને આ ઉપચાર લાગુ પડતો નથી એમ સમજવું.
વિશેષ
સમ્યગ્દર્શન, પ્રતીતિ, રુચિ, શ્રદ્ધા અને શ્રદ્ધાન-એ સમ્યકત્વના પર્યાયાવાચક શબ્દો છે. સમ્યગ્દર્શનને આઠ અંગ છે. અંગ શબ્દનો અર્થ અવયવ છે. સમ્યગ્દર્શન અંગી છેઅવયવી છે અને નિઃશંકિત આદિ તેનાં અંગ-અવયવ છે.
અંગનો અર્થ લક્ષણ-ચિહ્ન પણ થાય છે. જેને સમ્યગ્દર્શન હોય છે તેને નિઃશંકિત આદિ ચિહ્નો અવશ્ય હોય છે.
સમ્યગ્દર્શનનાં આઠ અંગોમાં પ્રથમનાં ચાર અંગો-નિઃશંકિત, નિ:કાંક્ષિત, નિર્વિચિકિત્સતા અને અમૂઢદષ્ટિ-એ નિષેધરૂપ છે અને બાકીનાં ચાર અંગો-ઉપગૃહન, સ્થિતીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના-એ વિધેયરૂપ છે.
સૂચના- હવે ટીકાકાર આઠે અંગમાં પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓની કમવાર કથા કહેશે.
તેમાં નિઃશંકિતપણામાં અંજનચોર દષ્ટાંતપણાને પામેલ છે. (તે આઠ અંગમાં નિઃશંકિત અંગમાં અંજનચોરનું દષ્ટાંત પ્રસિદ્ધ છે), તેની આ કથા છે.
૧.
મોક્ષમાર્ગ પ્રકાશક, ગુજરાતી આવૃત્તિ પૃષ્ઠ ૨૭૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com