________________
૧૨૬
તથા
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
રત્નકરણ્ડક શ્રાવકાચાર
66
વળી લોકમાં તો રાજાદિકની કથાઓમાં પાપ છોડવાનું વા પુણ્યનું પોષણ છે. ત્યાં રાજાદિક મહાપુરુષોની કથા સાંભળે છે, પરંતુ તેનું પ્રયોજન જ્યાં-ત્યાંથી પાપને છોડી ધર્મમાં લગાવવાનું પ્રગટ કર્યું છે. તેથી તે જીવ કથાઓની લાલચ વડે પણ તેને વાંચેસાંભળે તો પાછળથી પાપને બૂરું તથા ધર્મને ભલો ગણી ધર્મમાં રુચિવાન થાય છે. એ પ્રમાણે તુચ્છ બુદ્ધિવાનોને સમજાવવા માટે આ અનુયોગ છે...
[ભગવાનશ્રીકુંદકુંદ
लोकालोकविभक्तेर्युगपरिवृत्तेश्चतुर्गतीनां च । आदर्शमिव तथामतिरवैति करणानुयोगं च ।। ४४ ।।
“વળી જે જીવોને તત્ત્વજ્ઞાન થયું હોય તેઓ આ અનુયોગ વાંચે-સાંભળે તો તેમને આ ઉદાહરણરૂપ ભાસે છે. જેમકે જીવ અનાદિનિધન છે તથા શરીરાદિ સંયોગી પદાર્થ છેએમ જાણતો હતો, હવે પુરાણાદિકમાં જીવોનાં ભવાન્તરનું નિરૂપણ કર્યું છે તે એ જાણવામાં ઉદાહરણરૂપ થયું.
66
“વળી આ શુભ-અશુભ-શુદ્ધોપયોગને જાણતો હતો, વા તેના ફળને જાણતો હતો. હવે પુરાણોમાં તે ઉપયોગોની પ્રવૃત્તિ તથા તેનું ફળ જીવોને જે થયું હોય તેનું નિરૂપણ કર્યું છે. એ જ આ જાણવામાં ઉદાહરણરૂપ થયું,...
.....
ધર્માત્મા છે તે, ધર્મીઓની પ્રશંસા અને પાપીઓની નિંદા જેમાં હોય એવી કોઈ પુરાણ પુરુષોની કથા સાંભળવાથી ધર્મમાં અતિ ઉત્સાહવાન થાય છે. એ પ્રમાણે આ પ્રથમાનુયોગનું પ્રયોજન જાણવું.” ૪૩.
૨. કરણાનુયોગનું સ્વરૂપ શ્લોક ૪૪
અન્વયાર્થ :- [ તથા ] તેવી જ રીતે (પ્રથમાનુયોગના પ્રકારે ) [ મતિ: ] સમ્યગ્ગાન (મનનરૂપ શ્રુતજ્ઞાન ) [ આવર્ણન્ ફવ ] દર્પણની જેમ [લોગનો વિમì: ]
१. संपादनार्थमुपलब्धेषु पुस्तकेषु 'क' पुस्तके इतोग्रे इयं गाथा समुपलभ्यते ' अह उड्ढतिरिय - लोए दिसि विदिसि जं पमाणियं भणियं । करणाणिउगं सिद्धं दीवसमुद्दा जिणग्गेहा' । गाथेयं करणानुयोगस्य लक्षणपरा, केनचित् ‘लोकालोकेति श्लोकस्य टीकायामदतारिता, लेखकप्रमादेन च प्रथमानुयोगलक्षणे संमिलिता भवेदिति प्रतिभाति ।
Please inform us of any errors on rajesh@AtmaDharma.com