________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪
૫ સંયમના હેતુથી યોગપ્રવર્તના,
સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. અ
૬ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા,
પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધવણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અo
૭ ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષીભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અo
૮ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અo
૯ નગ્નભાવ, મુંડભાવ સહુ અજ્ઞાનતા,
અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com