________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
नमः सद्गुरवे
ઉપોદ્ઘાત
[પ્રથમ આવૃત્તિ પ્રસંગે ]
ભગવાન કુંદકુંદાચાર્યદેવપ્રણીત આ ‘ પંચાસ્તિકાયસંગ્રહ' નામનું શાસ્ત્ર ‘દ્વિતીય શ્રુતસ્કંધ ’ સર્વોત્કૃષ્ટ આગમોમાંનું એમ છે.
'
‘ દ્વિતીય શ્રુતસ્કંધ ’ની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે આપણે પટ્ટાવલિઓના આધારે સંક્ષેપમાં પ્રથમ જોઈએ.
આજથી ૨૪૮૩ વર્ષ પહેલાં આ ભરતક્ષેત્રની પુણ્યભૂમિમાં જગપૂજ્ય પરમભટ્ટારક ભગવાન શ્રી મહાવીરસ્વામી મોક્ષમાર્ગનો પ્રકાશ કરવા માટે સમસ્ત પદાર્થોનું સ્વરૂપ પોતાના સાતિશય દિવ્યધ્વનિ દ્વારા પ્રગટ કરતા હતા. તેમના નિર્વાણ પછી પાંચ શ્રુતકેવળી થયા, જેમાં છેલ્લા શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામી થયા. ત્યાં સુધી તો દ્વાદશાંગશાસ્ત્રના પ્રરૂપણથી નિશ્ચયવ્યવહારાત્મક મોક્ષમાર્ગ યથાર્થ પ્રવર્તતો રહ્યો. ત્યારપછી કાળદોષની ક્રમે ક્રમે અંગોના જ્ઞાનની યુત્તિ થતી ગઈ. એમ કરતાં અપાર જ્ઞાનસિંધુનો ઘણો ભાગ વિચ્છેદ પામ્યા પછી બીજા ભદ્રબાહુસ્વામી આચાર્યની પરિપાટીમાં બે સમર્થ મુનિઓ થયા- એકનું નામ શ્રી ધરસેન આચાર્ય અને બીજાનું નામ શ્રી ગુણધર આચાર્ય. તેમની પાસેથી મળેલા જ્ઞાન દ્વારા તેમની પરંપરામાં થયેલા આચર્યોએ શાસ્ત્રો ગૂંથ્યાં અને વી૨ ભગવાનના ઉપદેશનો પ્રવાહ વહેતો રાખ્યો.
શ્રી ધરસેન આચાર્યને આગ્રાયણીપૂર્વના પાંચમાં વસ્તુ અધિકારના મહાકર્મપ્રકૃતિ નામના ચોથા પ્રાકૃતનું જ્ઞાન હતુ. તે જ્ઞાનામૃતમાંથી અનુક્રમે ત્યારપછીના આચાર્યો દ્વારા પખંડાગમ, ધવલ, મહાધવલ, જયધવલ, ગોમ્મટસાર, લબ્ધિસાર, ક્ષપણાસાર આદિ શાસ્ત્રો રચાયાં. આ રીતે પ્રથમ શ્રતુસ્કંધની ઉત્પત્તિ છે. તેમાં મુખ્યત્વે જીવ અને કર્મના સંયોગથી થયેલા આત્માના સંસા૨૫ર્યાનું –ગુણસ્થાન, માર્ગણાસ્થાન આદિનું -વર્ણન છે, પર્યાયાર્થિક નયને પ્રધાન કરીને કથન છે. આ નયને અશુદ્ધદ્રવ્યાર્થિક પણ કહે છે અને અધ્યાત્મભાષાથી અશુદ્ધનિશ્ચયનય અથવા વ્યવહાર કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com