________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
[ ૨૧
वान्तरसत्ता च। तत्र सवपदार्थसार्थव्यापिनी सादृश्यास्तित्वसूचिका महासत्ता प्रोक्तव। अन्या तु प्रतिनियतवस्तुवर्तिनी स्वरूपास्तित्वसूचिकाऽवान्तरसत्ता। तत्र महासत्ताऽवान्तरसत्तारूपेणाऽ-सत्ताऽवान्तरसत्ता च महासत्तारूपेणाऽसत्तेत्यसत्ता सत्तायाः। येन स्वरूपेणोत्पादस्तत्तथो-त्पादैकलक्षणमेव, येन स्वरूपेणोच्छेदस्तत्तथोच्छेदैकलक्षणमेव, येन स्वरूपेण धोव्यं तत्तथा ध्रौव्यैकलक्षणमेव, तत उत्पद्यमानोच्छिद्यमानावतिष्ठमानानां वस्तुन: स्वरूपाणां प्रत्येकं त्रैलक्षण्याभावादविलक्षणत्वं: त्रिलक्षणायाः। एकस्य वस्तुनः स्वरूपसत्ता नान्यस्य वस्तुन: स्वरूपसत्ता भवतीत्यनेकत्वमेकस्याः। प्रतिनियतपदार्थस्थिताभिरेव सत्ताभिः पदार्थानां प्रतिनियमो भवतीत्येकपदार्थस्थितत्वं सर्वपदार्थ
મહાસત્તા અને અવાન્તરસત્તા. તેમાં, સર્વપદાર્થસમૂહમાં વ્યાપનારી, સાદગ્ય અસ્તિત્વને સૂચવનારી મહાસત્તા (સામાન્યસત્તા) તો કહેવાઈ જ ગઈ. બીજી, પ્રતિનિશ્ચિત (–એકેક નિશ્ચિત) વસ્તુમાં રહેનારી, સ્વરૂપ-અસ્તિત્વને સૂચવનારી અવાન્તરસત્તા (વિશેષસત્તા) છે.(૧)ત્યાં મહાસત્તા અવાન્તરસત્તારૂપે અસત્તા છે અને અવાન્તરસત્તા મહાસત્તારૂપે અસત્તા છે તેથી સત્તાને અસત્તાછે (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સતા મહાસત્તારૂપ હોવાથી “સત્તા છે તે જ અવાન્તરસત્તારૂપ પણ હોવાથી “અસત્તા” પણ છે ). (૨) જે સ્વરૂપે ઉત્પાદ છે તેનું (-તે સ્વરૂપનું) તે રીતે ઉત્પાદ એક જ લક્ષણ છે, જે સ્વરૂપે વ્યય છે તેનું (-તે સ્વરૂપનું) તે રીતે વ્યય એક જ લક્ષણ છે અને જે સ્વરૂપે ધ્રૌવ્ય છે તેનું (- તે સ્વરૂપનું) તે રીતે ધ્રૌવ્ય એક જ લક્ષણ છે તેથી વસ્તુના ઊપજતા, નષ્ટ થતા અને ધ્રુવ રહેતા સ્વરૂપોમાંનાં પ્રત્યેકને ત્રિલક્ષણનો અભાવ હોવાથી ત્રિલક્ષણા(સત્તા) ને અત્રિલક્ષણપણું છે. (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી “ત્રિલક્ષણા” છે તે જ અહીં કલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી “અત્રિલક્ષણા” પણ છે ). (૩) એક વસ્તુનીસ્વરૂપ સત્તા અન્ય વસ્તુની સ્વરૂપ સત્તા નથી તેથી એક (સત્તા) ને અનેકપણું છે. (અર્થાત્ જે સામાન્ય વિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી ‘એક’ છે તે જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી
અનેક' પણ છે). (૪) પ્રતિનિશ્ચિત (વ્યકિતગત નિશ્ચિત ) પદાર્થમાં સ્થિત સત્તાઓ વડે જ પદાર્થોનું પ્રતિનિશ્ચિતપણે (-ભિન્નભિન્ન નિશ્ચિત વ્યકિતત્વો હોય છે તેથી સર્વપદાર્થસ્થિત(સત્તા) ને એકપદાર્થસ્થિતપણું છે. (અર્થાત્ જે સામાન્યવિશેષાત્મક સત્તા મહાસત્તારૂપ હોવાથી સર્વપદાર્થસ્થિત છે તે જ અહીં કહેલી અવાન્તરસત્તારૂપ પણ હોવાથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com